SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ પંચસંગ્રહ-૧ સંજ્વલન લોભનો સૂક્ષ્મસંપાયે ઉદયવિચ્છેદ થાય છે માટે ઉપશાંતમોહ ગુણઠાણે યોગરૂપ નવ બંધહેતુઓ હોય છે. એ જ નવ હતુઓ ક્ષીણમોહ ગુણઠાણે પણ હોય છે. સત્યમનોયોગ, અસત્યઅમૃષા મનોયોગ, સત્યવચનયોગ, અસત્ય અમૃષા વચનયોગ, કાર્મણકાયયોગ, ઔદારિક કાયયોગ અને ઔદારિકમિશ્ર કાયયોગ એ સાત બંધહેતુઓ સયોગી કેવળી ગુણસ્થાનકે હોય છે. તેમાં કેવળી સમુદ્ધાતમાં બીજે, છ અને સાતમે સમયે ઔદારિકમિશ્ર અને ત્રીજે, ચોથે તથા પાંચમે સમયે કાર્મણ કાયયોગ હોય છે, અને તે સિવાયના કાળમાં ઔદારિકકાયયોગ હોય છે. વચનયોગ ઉપદેશ આપતી વખતે અને મનોયોગ અનુત્તર વિમાનવાસી આદિ દેવો અને અન્ય ક્ષેત્રમાં રહેલા મુનિઓ મનથી પ્રશ્ન પૂછે ત્યારે મન વડે ઉત્તર આપતા હોય છે. અયોગીકેવળી ભગવાન શરીરમાં રહેવા છતાં પણ સર્વથા મનોયોગ, વચનયોગ અને કાયયોગનો રોધ કરેલો હોવાથી તેઓને એક પણ બંધહેતુ હોતો નથી. ૫ આ પ્રમાણે ગુણસ્થાનકોમાં સત્તામાત્રથી સંભવતા મિથ્યાત્વાદિ હેતુઓના પંચાવન આદિ અવાંતર ભેદો કહ્યા. હવે એક સમયે એક જીવને જઘન્ય, મધ્યમ એ ઉત્કૃષ્ટથી જે ગુણસ્થાનકે જેટલા હેતુઓ હોઈ શકે છે, તે કહે છે दस दस नव नव अड पंच जइतिगे दुदुग सेसयाणेगो । अडसत्तसत्तसत्तगछदोदोदोइगिजुया वा ॥६॥ दश नव नवाऽष्टौ पञ्च यतित्रिके द्विद्विकं शेषकाणामेकः ।, अष्टसप्त सप्तसप्तकषद्विद्विद्विएकयुता वा ॥६॥ અર્થ–પહેલા ગુણસ્થાનકથી આરંભી તેરમા ગુણસ્થાનક સુધીમાં એક સમયે એક જીવને ઓછામાં ઓછા અનુક્રમે દસ, દસ, નવ, નવ, આઠ, યતિત્રિકે પાંચ પાંચ, નવમે બે, દશમે બે, અને શેષ ગુણસ્થાનકે એક એક હેતુ હોય છે. અને વધારેમાં વધારે ઉપરોક્ત સંખ્યામાં અનુક્રમે આઠ, સાત, સાત, સાત, છ, યતિત્રિકે બળે, અને નવમે એક હેતુ મેળવતાં કુલ કેટલા થાય તેટલા હોય છે. ૬ ટીકાનુ–ગાથામાં પૂર્વાદ્ધ વડે મિથ્યાદૃષ્ટિ આદિ ગુણસ્થાનકોમાં અનુક્રમે ઓછામાં ઓછા એક સમયે એક જીવને કેટલા હેતુઓ હોય તે કહ્યું છે. અને ઉત્તરાર્ધ વડે ઉત્કૃષ્ટપદની પૂર્તિ માટે મેળવવા યોગ્ય હેતુઓની સંખ્યા કહી છે. તેથી તેનો સંક્ષેપે અર્થ આ પ્રમાણે થાય છે. મિથ્યાષ્ટિ આદિ ગુણસ્થાનકોમાં જઘન્યથી દશ આદિ બંધ હેતુઓ હોય છે, અને ઉત્કૃષ્ટથી આઠ આદિ સંખ્યા મેળવતાં અઢાર આદિ બંધહેતુઓ હોય છે. તાત્પર્યાર્થ આ પ્રમાણે – મિથ્યાદષ્ટિ ગુણઠાણે જઘન્યપદે એક સમયે એક સાથે દશ બંધહેતુઓ, ઉત્કૃષ્ટપદે અઢાર બંધહેતુઓ, અને મધ્યમ અગિયાર આદિ બંધહેતુઓ હોય છે. આ પ્રમાણે મધ્યમનો વિચાર પોતાની મેળે જ કરી લેવો. સાસ્વાદને જઘન્યથી દશ, ઉત્કૃષ્ટથી સત્તર, મિશ્રગુણસ્થાનકે જઘન્ય નવ ઉત્કૃષ્ટ સોળ,
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy