________________
१४
સતત જજૂમવાનું ચાલુ જ રાખવું એ કર્તવ્ય છે.
‘ભાગ્યમાં નથી, કર્મ આડું આવે છે. કર્મ કાઠું છે' ઇત્યાદિ વિચારો આગળ કરીને જીવને પુરુષાર્થમાં નિર્બળ બનાવનારા આગળ વધી શકતા નથી. કર્મ દ્રવ્યો આપે છે, દ્રવ્યથી દૂર રાખી શકે છે, કર્મ ક્ષેત્ર-કાળનું નિયમન કરી શકે છે. કર્મ જીવને વિભાવદશામાં મૂકી શકે છે. પણ કર્મ આત્માના મૂળભૂત ગુણોને આપી શકતું નથી. તે તો તે દૂર થાય ત્યારે જ પ્રકટ થાય છે.
દરેક જીવને સ્વકૃત કર્મ જ ભોગવવાનું હોય છે. તેમાં બીજા સહાયરૂપ-નિમિત્ત બને છે, પણ અન્યનું કર્મ અન્યને ઉપયોગી થતું નથી. નિશ્ચિતપણે આ નિયમ છે. છતાં વ્યવહારમાં આ અંગે ચાર પ્રકાર છે.
૧. ‘પોતાનું કરેલું કર્મ પોતેજ ભોગવે'—આ હકીકત તો પ્રસિદ્ધ છે. આ અંગે ઉદાહરણો શોધવા જવા પડે એવું નથી. ૨. ‘પોતાનું કરેલું કર્મ બીજા ભોગવે-બીજાને લાભ આપે.’ આ વાત મૂળભૂત નિયમથી વિરુદ્ધ જેવી લાગે, પણ વાસ્તવમાં એવું નથી. આ બીજા પ્રકા૨ને કારણે જ જીવ એક બીજા ઉપર ઉપકાર કરી શકે છે. “પરસ્પરોપગ્રહો નીવાનામ્' એ તત્ત્વાર્થ સૂત્રનું પણ એ રહસ્ય છે. એટલે કેટલાંક કર્મ એવાં હોય છે કે જેનો સીધો ઉપયોગ પોતાને કશો ન હોય ને તે બીજાને સારું યા માઠું ફળ આપતું હોય. જેમ વિશલ્યાને હાથે અપાયેલી ઔષધિ લક્ષ્મણને શલ્ય રહિત કરવા સમર્થ બની. એમાં વિશલ્યાને એવા કર્મનો ઉદય હતો કે તેને હાથે જ શલ્ય મટે, પોતાને એ કર્મનું કાંઈ સીધું ફળ નથી તેનો લાભ તો બીજાને મળે છે. કર્મસિદ્ધાંત અંગે ઉપર ઉપરથી જણાતો આ વિરોધ ખરેખર વિરોધ નથી. એક યશઃ આદિ નામકર્મ વેદ છે. જ્યારે બીજાને સાત વેદનીય આદિ કર્મ વેદાય છે. આમ એક-બીજાને સારા કર્મ ઉદયમાં લાવવામાં નિમિત્ત બને છે. ૩. ‘પોતાનું કરેલું કર્મ પોતે તથા બીજા એમ ઉભય ભોગવે છે.’ આ પ્રકા૨ પણ ઉપરના જેવો જ છે; ફેર એટલો છે કે કર્મનું ફળ પોતાને પણ લાભ—દેખીતો લાભ આપે છે. એવા કેટલાંક પુણ્ય અને પાપના ઉદયો છે. કે જે પુણ્યપાપના ઉદયવાળો જીવ પોતે અને તેની સાથે સંકળાયેલા સુખી-દુઃખી થતા હોય છે. વિશ્વમાં આ પ્રકાર પણ સુલભ રીતે જોવામાં આવે છે. આનું સમાધાન પણ બીજા પ્રકારની જેમ સમજી શકાય એવું છે. ૪. ‘પોતાનું કર્મ નથી પોતાને ઉપયોગી કે નથી બીજાને.’ આ પ્રકારમાં કેટલાંક તુચ્છ કર્મો આવે છે. બીજી રીતે જે કર્મ પ્રદેશમાત્રથી ભોગવાઈ જાય છે તે કર્મ દેખીતી રીતે કશા ઉપયોગમાં આવેલું ગણાતું નથી. પ્રથમ રીતે વન્ય કુસુમ જેવું એ છે. બીજી રીતે વગર વરસે વીખરાઈ ગયેલા વાદળ જેવું એ છે.
કર્મ ભોગવવામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ પ્રધાન ભાગ ભજવે છે. આ પાંચના સંગમ સિવાય કર્મનો ભોગ થઈ શકતો નથી.
કર્મનું અધ્યયન કરવા માટે ગ્રંથો ઘણા છે. તેનું ક્રમસર અધ્યયન પરંપરાગત ચાલ્યું આવે છે. પ્રાથમિક ગ્રંથોથી લઈને ટોચ સુધીના ગ્રંથો છે. વ્યાકરણના અધ્યયનની જેમ આ અધ્યયન બે વિભાગમાં વહેંચાયેલું છે, એક પ્રક્રિયા અનુસારી અને બીજું તર્કાનુસારી. જેમ વ્યાકરણમાં કેટલાક