________________
જ્ઞાની ભકતની પ્રતિભા અત્યારે વીતરાગ દેવને નામે જૈન દર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મત, તે મતરૂપ છે; પણ સતરૂપ, જ્યાં સુધી વીતરાગ છેવની આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તતા ન હોય, ત્યાં સુધી કહી. . શકાય નહીં ...
આ પરથી મારું એમ કહેવું નથી કે કોઈ પણ અત્યારે જન દર્શનના આરાધક નથી; છે ખરા, પણ બહુ જ અ૫; અને જે છે, તે મુકત થવા સિવાયની બીજી જિજ્ઞાસા જેને નથી તેવા, અને વીતરાગની આજ્ઞામાં જેણે પોતાનો આત્મા સમાપ્યું છે તેવા પણ તે આંગળીએ ગણી લઈએ તેટલા હશે. બાકી તે દર્શનની દશા જોઈ કરૂણા ઊપજે તેવું છે; રિથર ચિત્તથી વિચાર કરી જોશો તો આ મારું કહેવું તમને સપ્રમાણ લાગશે.” (સદર, પા. ૧૯૫) *
પિતાની નિષ્ઠા અને જેનતત્ત્વ-દર્શન વિશેની સમજબુદ્ધિ રજૂ કરવાને માટે એક ગ્રંથ રૂપે લખવા કપેલા એવા અધૂરા લેખમાંથી ઉપરનું લાંબું અવતરણ છે. તેમાં શ્રીમની ધર્મ-તત્ત્વ-બુદ્ધિ અને જૈન નિગ્રંથ આદર્શ વિષેની શ્રદ્ધા તથા તેના પ્રતીક રૂપે માનેલા મહાવીર સ્વામી પ્રત્યેની ભકિત – ટૂંકમાં આપણને જોવા મળે છે.
અને આ એમનાં લક્ષણોને સમજવાની ચાવી રૂપે એક સૂત્રાત્મક વાકય તેમણે (મોરબી, ચૈત્ર વદ ૧૦, ૧૯૪૫ના રોજ) મુંબઈ શ્રી. ખીમજી દેવજી નામે ભાઈને લખેલા પત્રમાંથી અંતે ઉતારું છું –
“એક વચન અવશ્ય સ્મરણમાં રાખશો કે, શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી; મર્મ તો પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. (શ્રી, ૧-૨૦૧૭)
શાસ્ત્રો સાધનાના માર્ગો શબ્દોમાં વર્ણવે છે; તેમનો અર્થ પામવાને માટે તે શબ્દોની અંદર નિગૂઢ રહેતી વસ્તુ લક્ષમાં આવવી જોઈએ. તે તે સાધક પોતે પોતાના અનુભવના બળે જ પ્રત્યક્ષ કરી શકે, કેમ કે, તેમાં તેને સૂક્ષ્મ મર્મ પામવાપણું આવે છે – જરૂરી છે. શ્રીમદ્
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org