________________
કેશવમ પ્રતિ ગચ્છતિ” પાસે આ સાધકતાની જિજ્ઞાસા છે, જીવનમાં તેનું જ ઉત્કટ અનુશીલન તે કરે છે. અને તેવા પુરુષો પામે છે કે, સર્વ માર્ગોનું વહેણ છેવટે એક “કેશવ પ્રતિ ગચ્છતિ.” અને એ સારની એક નોંધ શ્રીમદે આ સમયે કરેલી મળે છે. શાસ્ત્રોનો ઉપયોગ છેવટે મોક્ષમાર્ગ બતાવવામાં જ છે ને? અને તે માર્ગ છે; – સત્ય છે, એક છે; ભલે તેની ગલીકૂંચીઓનાં નામનાં પાટિયાં વિવિધ શાસ્ત્રો પોતપોતાના દેશકાળનાં લોકોનાં આગમ-બુદ્ધિ ઇ૮ મુજબ) જુદાં – જુદી ભાષા-પરિભાષામાં -- વર્ણવે. કવિની (વવાણિયા, ફાલ્વન સુદ ૯, રવિ, ૧૯૪પના રોજની) નોંધ આમ કહે છે (શ્રી.૧-૨૦૫):
“મોક્ષના બે માર્ગ નથી. જે જે પુરુષો મેક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા પુરુષો એક જ માર્ગથી પામ્યા છે; વર્તમાન કાળે પણ તેથી જ પામે છે; ભવિષ્ય કાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદભેદ નથી, માન્યામાન્યતા નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિમાર્ગ છે, તથા તે સ્થિર માર્ગ છે, અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વકાળે તે માર્ગનું હોવાપણું છે, જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળ મોક્ષ પાયા નથી, વર્તમાન કાળે પામતા નથી, અને ભવિષ્ય કાળે પામશે નહીં....તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. યોગ્ય સામગ્રી નહીં મેળવવાથી ભવ્ય પણ એ માર્ગે પામતાં અટક્યા છે, તથા અટકશે, અને અટકળ્યા હતા......
“કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈ એકાગ્ર: ભાવથી સમ્યક યોગે જે માર્ગ સંશોધન કરવાનો છે, તે એ જ છે.....
વિશેષ શું કહેવું? તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મત્વ પ્રાપ્ય પુરુષ - નિગ્રંથ આત્મા જ્યારે યોગ્ય ગણી તે આત્મત્વ અર્પશે – ઉદય આપશે, ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે, ત્યારે જ તે મતભેદાદિક જશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org