________________
૧૯૨
જ્ઞાની ભકતની પ્રતિભા મતભેદ રાખી કોઈ મેક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મત- ભેદને ટાળ્યો, તે અંતત્તિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે.”
કેવી દૃઢ ભાષા – દઢ વાણી! છતાં છેવટે એ નોંધમાં વાકય છે:- “કોઈ પણ અવ્યવસ્થિત ભાવે અક્ષર-લેખ થયો હોય તો તે -ક્ષમા થાઓ. એ પ્રયાસના સમેત અટકું છું.”
' કવિ-જીવનની ૨૨ વર્ષ સુધીની “સમુચ્ચયચર્યાનો નિચોડ આ તેમની નોંધ ટૂંકમાં આપી દે છે. અનાત્મમાંથી આત્મ-શ્રદ્ધામાં હનુમાનકૂદકો આ કાળે તે મારી ચૂકે છે: શાસ્ત્રપ્રામાણ્યને પાર કરીને – યોગસૂત્રકાર કહે છે એમ, – “શ્રદ્ધાવીર્યસ્મૃતિને “સમ્યકોગ” પોતે, પોતાના અંતરમાંથી સંશોધન કરી લે છે. કઠોપનિષદ આ માનસપરિવર્તનને જ ટૂંકમાં કહે છે – “શ્રદ્ધામાવિવેશ.” – શ્રદ્ધાને આવેશ જીવનમાં પ્રવેશ્યો. કવિ આ સમયે આ પ્રકારનો “શ્રદ્ધામાં પ્રવેશ” પામે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org