________________
૧૬ અવધાન-શક્તિનું અધ્યાત્મ રાયચંદભાઈની પ્રતિભાશક્તિમાં તેમની ચમત્કારી સ્મરણશક્તિ કે સ્મૃતિ-વૃત્તિ મહત્ત્વની એક હતી. આ વૃત્તિને આધારે તે ગ્રંથાભ્યાસ ખૂબ ઝટપટ કરી શકતા એટલું જ નહિ, તેને કેળવીને તેમણે શતાવધાન શક્તિનો ચમત્કાર પોતાને માટે હાંસલ કર્યો હતો; – જેને લઈને તેમને જીવનમાં શરૂમાં જ સારી એવી જાહેરાત અને લોકપ્રિયતા મળી હતી.
આ બધે પોતાની પ્રતિભાને સંભાર લોકો પર ચમત્કારની છાપ પાડીને, અમુક લૌકિક શ્રદ્ધાભાવ પેદા કરી શકે છે; એ તે જાણતા હતા. અને તે વડે ધર્માચાર્યપદ કે તેવું લોક-પ્રતિષ્ઠા-સ્થાન જમાવવામાં તેનો ખપ લેવાય છે. રાયચંદભાઈને નાનપણમાં આ પ્રકારના એના ખપની જાણ હતી, અને તેમને તે કાળે મહત્ત્વાકાંક્ષા પણ હતી; એટલે, પોતાની સ્મૃતિશક્તિને કેળવીને શતાવધાનતા સુધી પહોંચાડી હતી; તેનું તે પ્રદર્શન કરતા. ૧૯મા વર્ષે તેનો જાહેર સમારંભ મુંબઈમાં થયો, તેથી ત્યારના ગોરા ચીફ જસ્ટિસ સુધીના લોકમાં તેમની ખ્યાતિ પ્રસરી હતી. પરંતુ, એ પછી શ્રીમદે એ શક્તિનો એવો ખપ લીધે નહીં તેવી વિભૂતિની ચમત્કારશક્તિ દાખવીને લોકમાં તેને આધારે ધર્મ-પ્રવર્તન કરવાનું કામ લેવાનું વિચારપૂર્વક –યું. એના પ્રભાવથી સાચો ધર્મલાભ ઉન્ન થવાને બદલે સાંપ્રદાયિક મઠ-મહંતાઈ કે ગુરુવાદની પંકવાદી સંકુચિતતા જ જન્મ – એમાંથી નરી લોકવાસનાનું બંધન વધે. શ્રીમદે આ ભાવથી પિતાની સ્મૃતિશક્તિને ચમત્કારી દેખાવમાર્ગ છોડયો, એ એમની પ્રતિભાની વિશુદ્ધ અધ્યાત્મ-શક્તિ બતાવે છે. અને પોતાના લોકોત્તર . એ અવધાન બળને ઉપગ આત્મસિદ્ધિની તેમની સાધનામાં કરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org