________________
જ્ઞાની ભક્તની પ્રતિભા તરફ તે વળ્યા હતા. એમ તેમણે તે શક્તિનું ઊર્ધીકરણ સાધ્યું હતું એ જ અવધાન-શક્તિથી તેમના ચિત્તમાં “જાતિસ્મરણ”ને સંસકાર ઉદય પામી શકયો હતે: તે પોતાના પૂર્વજન્મ જાણે છે, એમ તેથી અનુભવી શક્યા હતા. (આ બાબત અલગ વિશેષ વિચાર હવે પછી.) . - વીસમા વર્ષથી જે નવો ભવ” જીવનમાં ઉદ્ભવ્યો પોતે અનુભવ્યો એમ કહે છે, તેમાં આ સ્મૃતિશક્તિને આત્માર્થે સદુપયોગ શરૂ કર્યો, એ નોંધપાત્ર છે. એવા તેના ઉપયોગને પરિણામે કેટલીક વસ્તુઓ તેમને સાંપડી તે, મુમુક્ષુ કે સાધક જીવનના અભ્યાસ અર્થે, સમજવા જેવી છે. તેમનાં લખાણોમાંથી તે જોઈએ.
૧૯મું વર્ષ તેમના અવધાનકાળનું પ્રમુખ વર્ષ છે. તે વર્ષનું જે લખાણ સંઘરાયેલું મળે છે, તે એક પત્ર જેટલું જ છે. આ પત્ર (શ્રી ૧-૧૫૧) વવાણિયાથી, “મિ. ૨. ૬-૧-૮-૧૯૪૨”નો “મુગટમણિ રવજીભાઈ દેવરાજની પવિત્ર જનાબે” લખાયો છે. રવજીભાઈએ કેટલાક પ્રશ્ન કરેલા, તેમાં (તેમના જવાબો રૂપે લખાયેલા આ પત્ર પરથી અનુમાન જાય છે કે,) અવધાનની તેમની ચમત્કારી શક્તિ અંગે પૂછયું હશે, એમ લાગે છે. તેનો જવાબ લખતાં, “પ્રવેશક” રૂપે જે લખ્યું છે તેમાંથી અનુમાની શકાતો કે પરખાતો કવિશ્રીની પ્રતિભાને એક ગુણ નોંધવા જેવો છે:
સ્વ સ્વરૂપ ચીતરતાં મનુષ્ય ખચકાઈ જાય ખરો, પરંતુ સ્વ સ્વરૂપમાં જ્યારે આત્મસ્તુતિને કિંચિત્ ભાગ ભળે ત્યારે, નહીં તે નહીં જ, આમ મારું મત છે. આત્મસ્તુતિને સામાન્ય અર્થ પણ આમ થાય છે કે, પોતાની જૂઠી આપવડાઈ ચીતરવી. અન્યથા આત્મતુતિનું ઉપનામ પામે છે, પરંતુ ખરું લખાણ તેમ પામતું નથી અને જ્યારે ખરું સ્વરૂપ આત્મસ્તુતિ ગણાય, તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ? માટે સ્વ સ્વરૂપની સત્યતા કિંચિત્ આપની માગણી ઉપરથી જણાવતાં અહીં મેં આચકો ખાધો નથી, અને તે પ્રમાણે કરતાં ન્યાયપૂર્વક હું દોષિત પણ થયેલ નથી.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org