________________
જૈનધર્મ સુધારણા હોય. શ્રીમાન રાજચંદ્ર આ બે શાખાઓના સંબંધમાં આ પ્રમાણે અભિપ્રાય ધારણ કર્યો હતો:
શરીરાદિ બળ ઘટવાથી, સર્વ મનુષ્યોથી માત્ર દિગંબર વૃત્તિએ વર્તીને ચારિત્રનો નિર્વાહ ન થઈ શકે તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક વેતાંબરપણેથી વર્તમાનકાળ જેવા કાળમાં ચારિત્રને નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે, તે નિષેધ કરવા યોગ્ય નથી. તેમ જ વસ્ત્રનો આગ્રહ કરી, દિગંબર વૃત્તિને એકાંતે નિષેધ કરી, વસ્ત્રમૂર્છાદિ કારણોથી ચારિત્રમાં શિથિલપણું પણ કર્તવ્ય નથી. દિગંબરપણું અને શ્વેતાંબરપણું દેશ, કાળ, અધિકારી-યોગે ઉપકારના હેતુ છે. એટલે જ્યાં સુધી જ્ઞાનીએ જેમ ઉપદેશ્ય તેમ પ્રવર્તતાં આત્માર્થ જ છે.”
“ શ્રીમાન રાજચંદ્રના આ વિચારો સં. ૧૯૫૩માં લખાયા છે; અને ત્યાર બાદ જ જૈનના સર્વ સમુદાયોમાં મતમતાંતર ટાળી. અવિભક્ત જેન-સ્થિતિ લાવવાને ઘણો પરિશ્રમ ચાલી રહ્યો છે.”
સાંપ્રદાયિકતા વિશેની આ પ્રકારની વિવેકબુદ્ધિ-નિષ્ઠ આલોચના પણ રાયચંદભાઈની પ્રતિભાનો એક મહત્ત્વનો ભાગ દર્શાવે છે. આત્મશ્રદ્ધાની બુદ્ધિનિષ્ઠાથી હરકોઈ વાતને વિચાર-વિવેક કરવાની આ તેમની રીતિ જોઈને જ ગાંધીજી તેમના ભણી આકર્ષાયા હતા.– જોકે, તેમના આકર્ષણનો પ્રારંભ તો, પ્રથમ દર્શને કવિની ચમત્કારી અવધાન શક્તિ જોઈને થયો હતો. ઈ.સ. ૧૮૯૧માં બારિસ્ટર થઈ ગાંધીજી મુંબઈ ઊતર્યા તે વાત કરી, “આત્મકથામાં આગળ તે લખે છે:- .
દા. મહેતાને આગ્રહ મને પોતાને ત્યાં જ ઉતારવાનું હતું, એટલે મને ત્યાં જ લઈ ગયાં. તેમણે) જે ઓળખાણો તેમને ઘેર કરાવી તેમાંની એક નોંધ્યા વિના ન ચાલે. તેમના ભાઈ રેવાશંકર . . જગજીવનની સાથે તે જન્મની ગાંઠ બંધાઈ. પણ હું જેમની વાત કરવા ઇચ્છું છું તે તે કવિ રાયચંદ અથવા રાજચંદ્રની. દાક્તરના મોટા ભાઈના તે જમાઈ હતા, ને રેવાશંકર mજીવનની પેઢીના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org