________________
જ્ઞાની ભક્તની પ્રતિભા ભાગીદાર અને કર્તાહર્તા હતા. તેમની ઉંમર તે વેળા ૨૫ વર્ષ ઉપરની નહોતી. છતાં તે ચારિત્ર્યવાન અને જ્ઞાની હતા, એ તો હું પહેલી જ મુલાકાતે જોઈ શક્યો. તે શતાવધાની ગણાતા હતા....આ શક્તિની મને અદેખાઈ થઈ, પણ હું તે ઉપર મુગ્ધ ન થયો. જેના ઉપર હું મુગ્ધ થયો તે વસ્તુને પરિચય મને પાછળથી થયો. એ હતું એમનું બહોળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્રય, અને તેમની આત્મદર્શન કરવાની ભારે ધગશ. આત્મદર્શનને જ ખાતર તે પોતાનું જીવન વ્યતીત કરતા હતા, એમ મેં પાછળથી જોયું.
હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે મુક્તાનંદને નાથ વિહારી રે,
ઓધા જીવન-દારી અમારી રે....” એ મુક્તાનંદનું વચન તેમને મોઢે તો હતું જપણ તે તેમના હૃદયમાં અંકિત હતું.”
જીવનમાં પરમ અનુભૂતિના આ આદર્શને જ ગીતાકારે પેલા એક જ શ્લોકમાં (અ) ૭-૧૧) કહી નાંખ્યો છે:
बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते ।
वासुदेवः सर्वम् इति स महात्मा सुदुर्लभः॥ આ પ્રકારને અધ્યાત્મ-જીવન-વિકાસ કવિનાં છેલ્લાં વર્ષોમાં મુખ્યત્વે થયું હતું. તે સાથે તેમને મને રથ જૈન ધર્મસુધારણા વિષે હત; અને તે અંગે પ્રથમ પતે જ્ઞાનનિષ્ઠા પ્રાપ્ત કરવી જોઈએ તથા દુનિયાની નજરમાં બળવાન ગણાય એવી વિભૂતિ સાધીને ચાલવું જોઈએ,
એ પ્રકારના ભાવથી, સુધારણાનું પરમાર્થ-કાર્ય તરત હાથ ન ધરવું, -એમ આપણે શ્રી. જીવાભાઈ પટેલે કરેલા વ્યાખ્યાનમાંથી આગળ જોઈ આવ્યા. “.અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહિ માનીએ ત્યાં સુધી “પ્રગટ માર્ગ” કહી શકીશું નહિ – એમ કવિનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org