________________
જ્ઞાની ભક્તની પ્રતિભા છે.) લગભગ છે. એ પ્રજા તે શ્રમણોપાસકની છે. એમાંથી, હું ધારું છું કે, નવ તત્ત્વને પઠન રૂપે બે હજાર પુરુષો પણ માંડ જાણતા હશે; મનન અને વિચારપૂર્વક જાણનારા તે આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરુષો પણ નહીં હોય. જ્યારે આવી સ્થિતિ તત્ત્વજ્ઞાન સંબંધી થઈ ગઈ છે, ત્યારે જ મતમતાંતર વધી પડયા છે. સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્ત્વ પ્રમાદ-સ્થિતિમાં આવી પડ્યું છે, તેને પ્રકાશિત કરવા તથા પૂર્વાચાર્યોનાં ગૂંથેલાં મહાન શાસ્ત્રો એકત્ર કરવા, પડેલા ગરછનાં મતમતાંતરને ટાળવા, તેમ જ ધર્મવિદ્યાને પ્રફુલિત કરવાની અવશ્ય છે એમ દર્શાવું છું. પવિત્ર સ્યાદ્વાદમતનું ઢંકાયેલ તત્ત્વ પ્રસિદ્ધિમાં આણવા જયાં સુધી પ્રયોજન નથી, ત્યાં સુધી શાસનની પણ ઉન્નતિ નથી. વાડામાં બેસી રહેવા કરતાં મતમતાંતર તજી એમ કરવું ઉચિત છે. હું ઇચ્છું છું કે, તે કૃત્યની સિદ્ધિ થઈ જૈનાંતર - ગ૭ મતભેદ ટળો, સત્ય સ્વરૂપ ઉપર મનુષ્ય મંડળનું લક્ષ આવો અને મમત્વ જાઓ.”
એમ કવિશ્રીના શબ્દો ટાંકીને આગળ શ્રી. મૈશેરી તેમની પ્રસ્તાવનામાં કહે છે:
“આ વિચારો સં. ૧૯૪૩ની સાલમાં સમાજ સમક્ષ મૂક્યા હતા. આ સમય એવો હતો, કે જ્યારે સમાજનો લક્ષ્ય બહુધા મતમતાંતરનાં રક્ષણ કરવામાં અને શુષ્ક ક્રિયાઓમાં કલ્યાણ માની લેવામાં આવતું હતું. જ્ઞાન, આત્મજ્ઞાન કે તત્ત્વજ્ઞાનનો લક્ષ્ય જ લગભગ આવરણ પામી ગયો હતો.”
જેમાં મુખ્ય બે શાખાઓ જાણીતી છે – વેતાંબર અને દિગંબર. આમ જણાવી શ્રી. મૈશેરી આગળ લખે છે:
“લગભગ બે હજાર વર્ષ થયાં, તેઓની વચ્ચે અભિપ્રાય-ભેદ એવો થઈ ગયો હતો કે, કેમ જાણે તેઓ એકબીજાના પ્રતિપક્ષીઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org