________________
નવધર્મ પ્રવર્તનને અનેરથ “ધર્મના સિદ્ધાંતો દૃઢ કરી, હું સંસાર ત્યાગી તેઓને ત્યગાવીશ. કદાપિ હું પરાક્રમ ખાતર થોડો સમય નહીં ત્યાગું તો પણ તેઓને ત્યાગ આપીશ.
“સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું, એમ કહું તો ચાલે.
જુઓ તો ખરા! સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ!
“પત્રમાં વધારે શું જણાવું? રૂબરૂમાં લાખે વિચાર દર્શાવવાના છે. સઘળું સારું જ થશે. મારા પ્રિય મહાશય, એમ જ માનો.
હર્ષિત થઈ વળતીએ ઉત્તર લખો. વાતને સાગર રૂપ થઈ રક્ષા આપશો.
ત્યાગીના ય.” અને આ પછી બીજો પત્ર “મુંબઈ બંદર, સોમવાર, ૧૯૪૩” રોજ તેમને (શ્રી.૧- ૧૮૮) લખે છે
રજિસ્ટર પત્ર સહ જન્મગ્રહ પહોંચ્યા છે. હજી મારા દર્શનને જગતમાં પ્રવર્તન કરવાને કેટલોક વખત છે. હજી હું સંસારમાં તમારી ધારેલી કરતાં વધારે મુદત રહેવાનો છું. જિંદગી સંસારમાં કાઢવી અવશ્ય પડશે તો તેમ કરીશું...કોઈ પ્રકારની અડચણ નહીં આવે. પંચમકાળમાં પ્રવર્તન કરવામાં જે જે ચમત્કારો જોઈએ, તે એકત્ર છે અને થતા જાય છે. હમણાં એ સધળા વિચારો કેવળ પવનથી પણ ગુપ્ત રાખજો. એ કૃત્ય સૃષ્ટિ પર વિજય પામવાનું છે.
તમારા ગ્રહને માટે તેમ જ દર્શન-સાધના, ધર્મ ઇત્યાદિ સંબંધી વિચારો સમાગમ દર્શાવીશ. હું થોડા વખતમાં સંસારી થવા ત્યાં આવવાનો છું. તમને આગળથી મારા ભણીનું આમંત્રણ છે
લિ. રાયચંદ્ર” અંતમાં “સંસારી થવા ત્યાં આવવાનો છું...” લખ્યું છે, તે ત્યાર પછી સં. ૧૯૪૪ના મહા સુદ ૧૨ નાં કવિનાં લગ્ન થવાનાં હતાં,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org