________________
૦
જ્ઞાની ભક્તની પ્રતિભા તે વિશેનો ઉલ્લેખ છે. અને આ પત્રવ્યવહાર સં. ૧૯૪૪ના શરૂના મહિનામાં તે જ ભાઇ ચત્રભુજ જોડે આગળ ચાલુ છે. મુંબઈ, કારતક સુદ ૫, ૧૯૪૪ રોજ, “લિ. રાયચંદના જિનાય નમ:” એવી સહીને પત્ર છે, તેમાં લખે છે:- “મારા સંબંધી નિરંતર નિશ્ચિત રહેજો. આપના સંબંધી હું ચિંતાતુર રહીશ. જેમ બને તેમ. આપણા ભાઈએમાં પ્રીતિ અને સંપ શાંતિની વૃદ્ધિ કરજો. એમ કરવું મારા પર કૃપા ભરેલું ઠરશે. વખતનો રૂડો ઉપયોગ કરતા રહેજો; ગામ નાનું છે તોપણ. નિરંતર સઘળા પ્રકારથી નિશ્ચિત રહેશોજી.”
તે પછી મુંબઈ, પોષ વદ ૧૦, બુધવાર, ૧૯૪૪નો બીજો પર છે, તેમાં લગ્ન સંબંધી મિતિ નિશ્ચિત થઈ તે અંગે સંમતિ દર્શાવીને (અગાઉ જોયું તે) લક્ષ્મી સંબંધી લખે છે. (શ્રી.૧-૧૮૯):
લક્ષ્મી પર પ્રીતિ નહીં, છતાં કોઈ પણ પરાર્થિક કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત એમ લાગવાથી મન ગ્રહી અહીં તે સંબંધી સત્સગવડમાં હતો... પરા કરતાં વખતે લક્ષ્મી અંધાપો, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે, જેથી તેની દરકાર નથી.”
અને આગળના માટે કલ્પાતા મહાકાર્ય અંગે પણ અંતે ઉલ્લેખ કરતાં કહે છે કે, “જે પદ આજ રાજયશ્રી ચક્રવર્તિની વિકટોરિયાને દુર્લભ – કેવળ અસંભવિત છે – તે વિચારો, તે વસ્તુ અને પદ ભણી કેવળ ઈચ્છા હોવાથી ...”; અને એમ કહીને અંતે કહે છે, આ સઘળા હવાઈ (અત્યારે લાગતા) વિચારો માત્ર આપને દર્શાવું છું. અંત:કરણ શુકલ અદ્ભુત “આ વિચારોથી ભરપૂર છે. પરંતુ આપ ત્યાં રહ્યા ને હું અહીં રહ્યો!”
આ લાંબે પત્રવ્યવહાર કવિશ્રીના આ કાળે વર્તતા અંતરજીવનનો ખ્યાલ આવે તે માટે અહીં ઉતાર્યો છે. એ જ સમયે તે સંસારીનું ગૃહસ્થજીવન પણ સ્વીકારે છે. આ વિચિત્ર વિસંવાદ લાગે, પરંતુ જેઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org