________________
વ્યવહારશુદ્ધિગ તે સંસારના સંગમાંથી પ્રવર્તતે વ્યવહાર-જીવન-ભાગ છે, કે જેને સ્થૂળ રૂપે સંબંધમાં આવીને જગત જુએ જાણે ને સ્પશીને ચાલે છે. અને બીજું અંતરંગ એટલે જીવનને આંતર મને લોક કે ચિત્તભાગ; કે જે સાધારણ રીતે જગત જુએ જાણે કે પામી શકે નહિ,– એને અનુમાનથી કપીને ચાલે છે. આ આંતર જીવન આપણી સૂક્ષ્મ કામહેતુસૃષ્ટિ છે; જેને વિશે કહેવાય છે કે, તે જ બંધ-મોક્ષનું કારણ છે; જેથી તેની સંશુદ્ધિ કરવી એ સાધનાનો આદિ કાંડ છે.
તેથી કરીને આ બે ભાગ સાવ અલગ અને નોખાં બે ખાનાં નથી; એક જ માનવ-વ્યક્તિત્વનાં બે પાસાં છે – દ્વિદળના કણ પેઠે જડાયેલાં છે. પરંતુ માનવ ચિત્તની રચના ભારે વિલક્ષણ છે. તેનાં. બહિરંગ તથા અંતરંગ આમ ઓતપ્રોત છતાં, તેમાં એવું સંભવે છે. કે, મનમાં એક અને કર્મમાં બીજું, કહેણીમાં એક ને રહેણી-કરણીમાં બીજું, – આ મિથ્યાચાર અને દંભ વર્તનનો દુર્ગુણ છે. માનવચિત્ત. તેના બહિરંગ-અંતરંગ વચ્ચે દંભનો સેતુ રચીને, અંદર એક ને બહાર બીજું – એવો આચાર-વિચાર પ્રયોજતો જોવા મળે છે. આવો દંભાહંકારયુક્ત વ્યવહાર લોકમાં લોભ અને કામરાગથી સંભવે છે. ગીતાકાર આવા વ્યવહાર અંગે જ કહે છે કે, તે સત્કારમાન-પૂજાથે દંભથી ચાલે છે. (જુઓ અ૦૧૭-૧૮). - રાયચંદભાઈમાં આ દુર્ગુણ લેશમાત્રા નહોતે, એમ તેમના પરિચિત સજજોએ કહ્યું છે. જેમ કે, ગાંધીજીએ કહ્યું છે કે, “તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે, પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં કયાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હોય, એમ મેં નથી જોયું.”
શ્રી. જીવાભાઈ અમીચંદ કરીને તેમના સમકાલીન એક સજજને કવિના આ ગુણ વિષે લાંબું વિવેચન કરતાં, મુંબઈમાં તેમના (૧૯૧૦માં) જયંતી-વ્યાખ્યાનમાં કહ્યું છે, sto-4
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org