________________
ઉક
જ્ઞાની ભકતની પ્રતિભા કવિના જીવનમાં નવધર્મપ્રવર્તનની આ લોકોપકારી વસ્તુ તેમની પ્રતિભાનો એક નોંધપાત્ર અંશ બતાવે છે. તે વિશે હવે પછી અલગ પ્રકરણમાં જોઈશું. અહીંયાં એ નોંધવું જરૂરી છે કે, કવિએ તેમના ૨૦મા વર્ષે વિચારીને શબ્દબદ્ધ કરેલી આ “વચન સપ્તશતી”ની એ મહાનીતિ મુજબ શ્રીમદ્ પોતે પોતાના જીવનને આ સમયે ઘડતા હતા. અધ્યાત્મ-માર્ગના યાત્રીને માટે, આ પ્રકારની નીતિચર્યા અમુક અધ્યાત્મયોગશક્તિ જ પેદા કરે છે. જેમ કે, જુએ શ્રી. હેમાચાર્ય તેમના યોગશાસ્ત્રમાં, યોગની વ્યાખ્યામાં જ, તેને એનું પ્રથમ અંગ જ ગણાવે છે. અથવા ગીતાકારે એને ભાવસંશુદ્ધિ કહીને આવી જીવનચર્યાને એક તપ સમાન જ વર્ણવી છે; અથવા “દૈવી સંપદ”ના સંદર્ભમાં એ જ વાત કહેતાં અભયની સાથે બીજે નંબરે એને સવસંશુદ્ધિ કહી છે; અને તે પછી ત્રીજે સ્થાને “જ્ઞાનયોગ-વ્યવસ્થિતિને કહી છે, કે જેનો પાયો જ આ ભાવ- કે સવ- સંશુદ્ધિ કે ચિત્તશુદ્ધિ જ છે. એમ આ વ્યવહારશુદ્ધિની વસ્તુ સાધકને માટે ૌતિક મહીં, આધ્યાત્મિક એક યોગબળ જ બને છે, જેને આધારે તે આગળની જ્ઞાનયાત્રા ખેડવાનું સામર્થ્ય પામે છે.
આ જ વસ્તુને બીજી એક રીતે વિચારીએ તે, માનવ જીવનમાં બે નખા અંશ બતાવી શકાય – એક તેના બાહ્ય જગત કે સંસાર સાથેના સંસર્ગથી નીપજતા વર્તન વ્યવહારનું બહિરંગ; - જેનો ઊગમ, તેના અંતર્લોક કે તેના સ્વભાવ કે અંતરમાંથી છે; - એ અર્થમાં જોકે તે સાવ બહિર ન ગણાય. આ અંતર એને જીવનનું બીજું, – કહો કે, અંતગ છે, કે જેને પણ સાવ અંતનું તે ન જ કહેવાય; કેમ કે, તેના ભાવો બાહ્ય જગતના ઈઢિયાર્થો કે પદાર્થોની જોડે, – આપણા અંતરનાં રાગદ્વેષ, વાસના, ને કામક્રોધાદિ વડે -સંધાયા છે. આમ છતાં, આપણી સમજૂતીની સ્પષ્ટતાને ખાતર, આ બે અંગને આપણે અંતરંગ ને બહિરંગ જુદાં માનીને કહીએ કે, તેમાં માનવ જીવનનું બહિરંગ -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org