________________
જ્ઞાની ભકતની પ્રતિભા શાસ્ત્રોના સારા અભ્યાસી એવા એકથી વધારે વિદ્વાનોએ તે દિવસ પછી આજ સુધીમાં પિતાની અનુમતિની સાથે જાહેર કરે છે....” (રાજયંતી વ્યાખ્યાને, પા.૧૪૩-૪)
આપણે આ સમયના આપણા સમાજ ભણી જોઈએ તે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં અમુક આચાર-શૈથિલ્ય જોવા મળતું હતું. તે સામે જ, દાઇ તા, સ્વામી સહજાનંદજીએ પિતાને સ્વામીનારાયણ સંપ્રદાય અલગ સ્થાપ્યો. આ કાળમાં અમુક સંસાર-સુધારકોએ આક્ષેપ કરેલો તેને અદાલતમાં કેસ લડવો પડેલો. કદાચ તત્કાલીન સંજોગોની ભૂમિકામાં કવિશ્રીએ ઉપરના લખાણમાં (વેદ-ઉપનિષદાદિ તત્ત્વદર્શનને અન્યાય કરી દે એવું) કાંઈક ટીકારૂપ આરોપણ કર્યું હોય, તે તેમાં તે સમયની સમાજસ્થિતિનું આગંતુક અને પ્રર્વતમાન વાયુમંડળ જ માની શકાય. બાકી તેમની દૃષ્ટિ સ્વતંત્ર બુદ્ધિવાદી હતી, એમ તે છેવટે કહે છે. છતાં તેમને જૈન તત્ત્વદર્શન અને નિગ્રંથપદની. સાધનામાં અદ્રિતીય શ્રદ્ધા બેઠી હતી, એમ તે કહેવું જોઈએ. (નિર્ગથપદ ઝંખતું એમનું કાવ્ય આ જ સમયે તેમની હદયવીણામાંથી રણકેલું.) અને તેમાં તેમની સાધક પ્રતિભાની જે વિશેષ પ્રકૃતિ હતી, તે એનું નિમિત્ત મનાય.
- સાધકો પોતપોતાની વિશેષ પ્રકૃતિ મુજબની રુચિથી સાધનમાર્ગ લે છે–એમ જ હોઈ શકે. તે દૃષ્ટિએ જોઈએ તો, કવિની પ્રકૃતિ, અગાઉ એક જગાએ જોયું એમ, અવ્યકતપાસક તત્ત્વજ્ઞાનીની કે સાંખ્યબુદ્ધિની હતી. કુશાગ્ર બુદ્ધિ અને મહા બળવાન અવધાનશક્તિ એમાં કારણ હોય. છતાં એ બધાને અંતેય, દરેક સાધક પિતાની તત્ત્વનિષ્ઠા કેળવી. લઈને પોતાની શ્રદ્ધા ઘડી લે છે; કેમ કે, છેવટે શાન કે પરમસિદ્ધિ તે વિના સંભવે નહિ, એ અધ્યાત્મવિદ્યાને જાય છે.
એ ન્યાયે લેતાં કહેવાય કે, શ્રીમદે આ. શ્રદ્ધા જૈનદર્શનાનુસાર મહાવીર સ્વામીની નિગ્રંથામાં કેળવી હતી. અને તે વિશે ૧૭ વર્ષની.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org