________________
૫
જ્ઞાની ભક્તની પ્રતિભા
છે. છતાં તેમાં પંડિતની શાસ્ત્રાર્થક તર્કબુદ્ધિ નહોતી; પરંતુ સાધકે પોતાને માટે આ વિષે જે માન્યતા બાંધીને ચાલવું ઘટે, તે માન્યતા સ્થિર કરવા માટે હતી, એમ આપણે માનીએ.
એમ કહીને આગળ ચર્ચા કરતાં, તે પછીના શિક્ષાપાઠ ૯૮ માં લખે છે, તે પણ જોવા જેવું છે:
“ જે ન્યાયથી જય મેળવી શકતા નથી તે પછી ગાળા ભાંડે છે, તેમ પવિત્ર જૈનના અખંડ તત્ત્વસિદ્ધાન્તા શંકરાચાર્ય, દયાનંદ સંન્યાસી વગેરે જ્યારે તેાડી ન શકયા, ત્યારે પછી ‘જૈન નાસ્તિક હું, સા ચાર્વાકમેસે ઉત્પન્ન હુઆ હૈ', એમ કહેવા માંડયું. પણ એ સ્થળે કોઈ પ્રશ્ન કરે કે.......આપના વેદ-વિચારો કઈ બાબતમાં જૈનથી ચડે છે? આમ જ્યારે મસ્થાન પર આવે ત્યારે મૌનતા સિવાય તેઓ પાસે બીજું કોઈ સાધન રહે નહીં. જે સત્પુરુષોનાં વચનામૃત અને યોગબળથી
આ સૃષ્ટિમાં સત્ય, દયા, તત્ત્વજ્ઞાન અને 'મહાશીલ ઉદય પામે છે, તે પુરુષો કરતાં જે પુરુષો શૃંગારમાં રાચ્યા પડયા છે, સામાન્ય તત્ત્વજ્ઞાનને પણ નથી જાણતા, જેના આચાર પણ પૂર્ણ નથી, તેને ચડતા કહેવા, પરમેશ્વરને નામે સ્થાપવા અને સત્ય સ્વરૂપની અવર્ણ ભાષા બોલવી, પરમાત્મ-સ્વરૂપ પામેલાને નાસ્તિક કહેવા, એ એમની કેટલી બધી કર્મની બહાળતાનું સૂચવન કરે છે ! ”
આ પ્રકારે આ વાદવિવાદમાં કહીને, છેવટે સાધકની સમજબુદ્ધિથી તેના સમારોપ કરતાં કવિશ્રી આગળ અંતે કહે છે:—
“ પરંતુ જગત માહાંધ છે; મતભેદ છે ત્યાં અંધારું છે; મમત્વ અને રાગ છે ત્યાં સત્ય તત્ત્વ નથી; એ વાત આપણે શા માટે ન
વિચારવી ! ” ( શ્રી.૧-૧૧૫)
-
મુંડક ઉપનિષદ કહે છે એમ આત્મતત્ત્વવસ્તુ દર્શનની શાસ્ત્રાર્થી વસ્તુ નથી; તે કાંઈ તર્કથી મેળવવાની સ્થિતિ કે ખંડનમંડનથી તત્ત્વસભા જીતવાની વસ્તુ પણ
નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org