________________
જૈન ધર્મતત્વનિષ્ઠા છે “....જ્યારે એક દર્શનને પરિપૂર્ણ કહી વાત સિદ્ધ કરવી હોય ત્યારે પ્રતિપક્ષની મધ્યસ્થ બુદ્ધિથી અપૂર્ણતા દર્શાવવી જોઈએ. અને એ બે વાત પર વિવેચન કરવા જેટલી અહીં જગ્યા નથી.”
છતાં કાંઈક જે લખ્યું છે તેમાં તે જૈન દર્શન “નાસ્તિક” કહેવાયું, તે આક્ષેપ નોંધે છે. એમાં તે કહે છે:
“મને બહુ આશ્ચર્ય લાગે છે કે, કેવળ શુદ્ધ પરમાત્મ-તત્ત્વને પામેલા, સકળ દૂષણ-રહિત, મૃષા કહેવાનું જેને કાંઈ નિમિત્ત નથી, એવા પુરુષના કહેલા પવિત્ર દર્શનને પિતે તો જાણ્યું નહીં, પોતાના આત્માનું, હિત તો કર્યું નહીં, પણ અવિવેકથી મતભેદમાં આવી જઈ કેવળ નિર્દોષ અને પવિત્રા દર્શનને નાસ્તિક શા માટે કહ્યું હશે? યદિ હું સમજું છું. કે, એ કહેનારા એનાં તત્તવોને જાણતા નહોતા. વળી એના તત્ત્વને જાણવાથી પોતાની શ્રદ્ધા ફરશે, ત્યારે લોકો પછી પોતાના આગળ કહેલા મતને ગાંઠશે નહીં; જે લૌકિક મતમાં પોતાની આજીવિકા રહી. છે, એવા વેદોની મહત્તા ઘટાડવાથી પોતાની મહત્તા ઘટશે; પોતાનું મિથ્યા. સ્થાપિત કરેલું પરમેશ્વરપદ ચાલશે નહીં; એથી જન તત્ત્વમાં પ્રવેશ કરવાની રુચિને મૂળથી બંધ કરવા લોકોને એવી ભ્રમ-ભૂરકી આપી. કે, જેન નાસ્તિક છે .(સદર, પા. ૧૧૩)
“પવિત્ર જૈન દર્શનને નાસ્તિક કહેવરાવવામાં તેઓ એક દલીલથી મિથ્યા ફાવવા ઇચ્છે છે કે, જૈન દર્શન આ જગતના કર્તા પરમેશ્વરને માનતું નથી; અને જે પરમેશ્વરને નથી માનતા તે તો નાસ્તિક જ છે ........”(સદર પા. ૧૧૪) | * આ તત્વના વાદવિવાદમાં અહીં આપણે ન ઊતરીએ. જગતની. ઉત્પત્તિની બાબતમાં વિવિધ ધર્મો પિતાની તર્કબુદ્ધિ અને શ્રદ્ધા પ્રમાણે આ-તે વાદ સ્થાપે છે. વિજ્ઞાનવાદો પણ ચાર્વાકથી માંડીને ચાલે છે. એ. વાદવિવાદને અંત ભાગ્યે આવે છતાં આ ઉંમરે શ્રીમદ્ તેમાં ઠીક ઠીક ગૂંથાયેલા હશે, એમ જણાય છે. અને તે. અંગે તેમણે પિતાની, શ્રદ્ધાબુદ્ધિ જૈન દર્શન અને નિગ્રંથ આદર્શ ઉપર સ્થિર કરી, એમ જણાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org