________________
૧૦
જૈન ધર્મતત્ત્વનિષ્ઠા ૨૦ વર્ષના થયા ત્યાં સુધીમાં રાયચંદભાઈની ધર્મ-નિષ્ઠા, (આમ તે જન્મ વૈષ્ણવ હોવા છતાં), જૈન ધર્મની સર્વોપરિતા પ્રત્યે લગભગ દૃઢ થઈ ચૂકી હોય એમ જોવા મળે છે, તેમ દર્શાવતાં અનેક વચનો (૧૭ મા વર્ષમાં લખેલી તેમની) “મોક્ષમાળા'માં મળે છે; અને એમ દર્શાવવા શાસ્ત્રાર્થક કે વાદવિવાદી ચર્ચા તેમાં છે. જેમ કે, જુઓ તેના “શિક્ષાપાઠ’નાં તત્ત્વાવબોધ પ્રકરણો. (શ્રી,૧ -પા. ૧૧૨ ઇ૦) “જે જે હું કહી ગયા છે તે કંઈ કેવળ જૈન કળથી જન્મ પામેલા પુરુષને માટે નથી, પરંતુ સર્વને માટે છે તેમ આ પણ નિ:શંક માનજો કે, હું જે કહું છું તે અપક્ષપાત અને પરમાર્થ-બુદ્ધિથી કહું છું.....વારંવાર હું તમને નિગ્રંથનાં વચનામૃત માટે કહું છું, તેનું કારણ તે વચનામૃત તત્ત્વમાં પરિપૂર્ણ છે, તે છે...”
જૈન એ એટલી બધી સૂક્ષ્મ વિચાર-સંકલનાથી ભરેલું દર્શન છે, કે જેમાં પ્રવેશ કરતાં પણ બહુ વખત જોઈએ જૈનના અકકેકા પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતાં આયુષ્ય પૂર્ણ થાય, તોપણ પાર પામીએ નહીં, તેમ રહ્યું છે. બાકીના સઘળા ધર્મના વિચાર જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી...” (શ્રી.૧પા. ૧૧૨-૩).
આમ પોતાની સિદ્ધાંતી જ્ઞાનનિષ્ઠા રજૂ કરીને જૈન ધર્મ-દર્શન પરની મુખ્ય અન્ય ધર્મી (મુખ્યત્વે હિંદુ) ટીકાઓનું ખંડન-મંડન કરતાં તે કહે છે:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org