________________
બીજ ભવ”માં પ્રવેશ
૫૩ આ પુખ્ત વય એટલે એમના જીવનને, ૧૬ થી ૨૩ વર્ષની ઉમરને કાળ. આ દરમિયાન તે એમના મુખ્ય પ્રબંધો લખે છે, તેમાં પિતાના શાસ્ત્રાભ્યાસને જ સાર આપે છે એટલું જ નહિ, આસપાસના પોતાના સંસારજીવનને પણ વિવેકવિચાર કરીને – તેને તોલ બાંધીને તેમાં વર્ણવે છે, અને તે મુજબ પોતાના અંગત જીવનને અને પોતાના સમાજના જીવનને પણ ઘડવાને માટે કમર કસે છે. અને આપણે જોયું કે, આ સમુચ્ચય-વય-કાળનું બરોબર આત્મનિરીક્ષણ કરીને તેમણે આ બધું વિચાર્યું છે. અને તેમ કરવામાં કોઈ માર્ગદર્શક વ્યક્તિ તેમના ગુરુ કે ઉપદેશક રૂપે હોય એમ જણાતું નથી. હા, શાસ્ત્રના સગ્રંથોને તે બરોબર કસીને વાપરે છે, અને તેના અંતે પોતાની જીવનનૌકાને નકશે નક્કી કરે છે. એમ કહેવાય. અથવા ગુરુ હોય તો તેમના અંતરમાં બિરાજતો ઈશ્વર કહો; કે જે ગુરુઓને ગુરુ છે – જીવમાત્રને હાજરાહજૂર ગુરુ છે – શાશ્વત અંતર્યામી રૂપે દરેકના હૃદયમાં બિરાજે છે. શ્રીમદ્ અને ગાંધીજીમાં આ સમાન લક્ષણ ગણાય કે, તેઓએ આવા ગુરુની જ દીક્ષા લીધી –- તેમણે કોઈની કંઠી ન બાંધી. શ્રીમ “બીજા ભવ’માં પ્રવેશ આ પ્રકારે થયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org