________________
જ્ઞાની ભકતની પ્રતિભા એમ કહીને આ તેમના “ભાવનાબોધ” પ્રબંધમાં કવિ, (“ખરું સુખ શામાં છે?” એવા મથાળાના) તેના ઉપઘાતમાં અને સમારોપ કરતાં કહે છે –
એ વીતરાગ સર્વજ્ઞના વચનને વિવેકબુદ્ધિથી શ્રવણ, મનન ને નિદિધ્યાસન કરી, હે માનવી, આત્માને ઉજજ્વળ કર” (શ્રી.૧-૧૨૪)
અને પોતે એ પુરુષાર્થને માટે “વૈરાગ્યાધિની કેટલીક ભાવનાઓ,” “પ્રથમ દર્શન” પ્રકરણ શરૂ કરે છે, એમાં ઉપદેશવાનો સંકલ્પ કરીને, “વૈરાગ્યની અને આત્મહિતૈષી વિષયોની સુદઢતા થવા માટે બાર ભાવનાઓ તત્ત્વજ્ઞાનીઓ કહે છે,” એમ નિરૂપે છે.
આ પ્રબંધ પૂરો નથી થયો લાગતો. પરંતુ શ્રીમદ્ભા જીવનના આ સમયે તે કઈ મહાવસ્તુની સાધનામાં – શેના ચિંતનમનનમાં હતા, તે આ બતાવે છે : જગતના અસંખ્ય તત્ત્વજ્ઞાનીઓએ બોલી વિવેકબુદ્ધિને સાર ગ્રહણ કરે છે, અને મહાવીર સ્વામીના બોધને મુખ્ય રુચિપાત્ર કહીને, તે અર્થે વૈરાગ્યની સાધનાને માટે બાર ભાવનાઓને કમ બાંધે છે, અને તે દરેક પર વિવેચન કરતાં ૧૦ “ ચિત્ર” નામે પ્રકરણ લખે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org