________________
“મેક્ષમાળા” અને “ભાવનાબેધ” ૪૯ - એ ટાંકીને કહે છે કે, “મહાયોગી ભર્તુહરિનું આ કથન સુષ્ટિમાન્ય એટલે સઘળા ઉજજવળ આત્માઓ સદૈવ માન્ય રાખે તેવું છે. એમાં આખા તત્ત્વજ્ઞાનનું દહન કરવા એમણે સકળ તત્ત્વવેત્તાઓનાં સિદ્ધાંત-રહસ્ય રૂપ અને સ્વાનુભવી સંસારશોકનું તાદૃશ ચિત્ર આપ્યું છે.....યોગેંદ્ર ભર્તુહરિ એક જ એમ કહી ગયા છે તેમ નથી. કાળાનુસાર સૃષ્ટિના નિર્માણ-સમયથી ભર્તૃહરિથી ઉત્તમ, ભર્તુહરિ સમાન, અને ભવું હરિથી કનિષ્ઠ, એવા અસંખ્ય તત્ત્વજ્ઞાનીઓ કહેતા આવ્યા છે.......વ્યાસ, વાલ્મીકિ, શંકર, ગૌતમ, પતંજલિ, કપિલ અને યુવરાજ શુદ્ધોદને પિતાનાં પ્રવચનમાં માર્મિક રીતે અને સામાન્ય રીતે જે ઉપદેશ્ય છે, તેનું રહસ્ય નીચેના શબ્દોમાં કાંઈક આવી જાય છે – “અહો લોકો! સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે. એને પાર પામવા પુરુષાર્થને ઉપયોગ કરો! ઉપયોગ કરો!”
આમ અનેક તત્ત્વજ્ઞાનીઓનો ઉલ્લેખ કરીને, મહાવીર સ્વામી અંગે વિશેષે કરીને લંબાણથી લખતાં કહે છે:- “મહાવીરનો એક સમય માત્રા પણ સંસારનો ઉપદેશ નથી. એનાં સઘળાં પ્રવચનમાં એણે એ જ પ્રદર્શિત કર્યું છે તેમ તેવું સ્વાચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે......પવિત્ર “ઉત્તરાધ્યયન સૂત્રમાં આઠમા અધ્યયનની પહેલી ગાથામાં કપિલ કેવળીની સમીપે તત્ત્વાભિલાષીનાં મુખકમળથી મહાવીર કહેવરાવે છે કે,
અધુવે અસાસયંમિ
સંસારંમિ દુષ્માઉરાએ; કિ નામ હુજ કર્મો
જેણાહે દુગ્ગઇન ગચ્છિજ્જા.' અધૂવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારનાં દુ:ખ છે; હું એવી શું કરણી કરું કે જે કરણીથી કરી દુર્ગતિ પ્રતિ ન જાઉં?” જ્ઞ૦-૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org