________________
બીજા ભવ 7 માં પ્રવેશ ૧૭મા અને ૧૮મા વર્ષે રાયચંદભાઈએ અનુક્રમે લખેલા બે પ્રબંધ - “મોક્ષમાળા' અને “ભાવનાબોધ', એક બાજુથી જોતાં, તેમની અવધાન અને અભ્યાસશક્તિના નિદર્શક નમૂના રૂપે કહેવાય; તે બીજી બાજુએથી વિચારતાં, તેમાં દ્વિવિધ સૂચકતા ભરેલો અર્થ સમાયો ગણાય:- ૧. કવિ આ પ્રબંધ “સર્વજનહિતાય’ – “સર્વજનબોધાય” એવા પરોપકાર-ભાવે પ્રેરાઈને કરે છે, તે એક વાત; આ તેની બહિરંગ બાજુ થઈ. તેની અંતરંગ બાજુ એ છે કે, ૨. એ દ્વારા કવિના આંતરજીવનનો વિકાસ કઈ રીતે થતા હતા, તે સમજવાને માટે આત્મકથન રૂપે પણ આ પ્રબંધો સારા નિદર્શક ગણાય.
આ બે પ્રબંધો બાદ, ૨૦મા વર્ષમાં તેમણે “મહાનીતિ' કે વચન સપ્તશતી’ પ્રબંધ તૈયાર કર્યો. તે પણ ઉપર પ્રમાણે બહિરંગી અને અંતરંગી ઉભયાવાળો સમજી શકાય. આ નીતિ-સપ્તશતક, તેમણે તૈયાર કરવા માટે ધારેલી “શ્રમણ-સેનાને માટે પૂર્વતૈયારી રૂપેની નીતિજીવન-માળા હતી. તેવી નીતિથી ચાલતા ત્યાગી વેરાગી પુરુષો દ્વારા તે પિતાની ધારણા મુજબનું નવ-ધર્મ-પ્રવર્તન કરવા માગતા હતા.
એને અર્થ એ પણ ખરો કે, તે પોતે જાતે એ નીતિબોધને પિતાને માટે માનતા હતા – પિતાના જીવનમાં અનુસરતા હતા; એટલું જ નહિ, એ પ્રકારનું ધર્મપ્રવર્તક નીતિ-જીવન-ચિત્ર તેમણે તે સમયમાં કામ કરવાને માટે ઉપયોગી અને આવશ્યક માન્યું. એટલે કે, પિતાના સમયે કઈ નીતિ – ક જીવન-વ્યવહાર કવિ જરી અને ઉપકારક માને છે; તેથી કરીને, તે કાળે જે ચાલુ છે, તેને કઈ રીતે કરને સંશુદ્ધ કરવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org