________________
જ્ઞાની ભક્તની પ્રતિભા વિષેની ભક્તિ આ પ્રકારે ઉદાર ભાવથી કેળવીએ, એમ મારા જેવા અન્ય ધર્મપ્રણાલીમાં ઊછરેલાને લાગે છે.
એક એવો વાદવિવાદ પણ ચાલતે જાણે છે કે, શ્રીમદ્ રાજચંદ્ર મેક્ષ પ્રાપ્ત કરી લીધેલ, અને એ ૨૫ મા તીર્થંકર હતા. આ અંગે ગાંધીજીએ પણ પોતાને મત દર્શાવવો પડેલો જોવા મળે છે કે,
મુક્ત પુરુષને જોઈતી વીતરાગતા કે તીર્થકરની વિભૂતિઓ શ્રીમન્ને પ્રાપ્ત નહોતી થઈ. સામાન્ય મનુષ્યોના પ્રમાણમાં શ્રીમદ્ગી વીતરાગતા અને વિભૂતિઓ ઘણી વધારે હતી; તેથી આપણે તેમને લૌકિક ભાષામાં વીતરાગ અને વિભૂતિમાન કહીએ; મુક્ત પુરુષને સારુ કપાયેલી વીતરાગતાને અને તીર્થંકરની વિભૂતિઓને શ્રીમદ્ નહોતા પહોંચી શક્યા, એવો મારો દૃઢ અભિપ્રાય છે.”
આમ કહેનાર વ્યક્તિ ગાંધીજી જેવા એમના મિત્ર અને નિકટના સાથી-સાધક પુરુષ છે. તેથી તે માનો કે ન માનવો એવું નથી કહેતે. હું એમ માનું છું કે, તેમાં વાદવિવાદ ન હોય; કારણ કે, આ પ્રકારનો અભિપ્રાય, અતે જોતાં, વ્યક્તિની અધ્યાત્મ-સિદ્ધિ વિષેની અંગત સમજ તેમ જ શ્રદ્ધાભક્તિનો વિષય છે. એ તર્કને વિષય નથી. શ્રીમમાં પરમ ગુરુ-ભક્તિભાવવાળો માણસ તેમને મુક્ત તીર્થકર માને; અને પિતાની ભક્તિ માટે એ પ્રકારનો ઇષ્ટ ભાવારોપણ કરે. આમ જ. ગાંધીજીને અવતાર માનવા વિશે પણ બનતું નથી જોતા? ઇષ્ટ મહા પુરુષની સ્તુતિની આવી એક લકિક રીતિ જ છે. કહેવાની મતલબ કે, આવા વ્યક્તિભાવગત વિચારને વસ્તુગત વાસ્તવિકતા સમજીને, નાહક કોઈ વ્યક્તિ વિશે, વાદવિવાદ ઘટે નહીં. આપણા જેવા સામાન્ય સંસારી છતાં મુક્તિ માટે મથવા ઇચ્છતા જિજ્ઞાસુઓ માટે તે, (ગાંધીજી પોતે કહે છે એમ) એવો જ ભાવ ઘટે કે,
“આપણે સંસારી જીવો છીએ, ત્યારે શ્રીમદ અસંસારી હતા. ... આપણે કદાચ મોક્ષથી દૂર ભાગતા હોઈશું ત્યારે શ્રીમદ્ વાયુવેગે.
૫ ના પ્રમાણમાં શ્રીમદની પાવાગતા અને વિભતિ ... -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org