________________
પરિશિષ્ટ-૨ મેક્ષ તરફ ધસી રહ્યા હતા.......... શ્રીમદ્ રાજચંદ્ર અસાધારણ વ્યક્તિ હતા. તેમનાં લખાણ એ એમના અનુભવના બિંદુ સમાં છે. ... જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે, તેમને શ્રીમનાં લખાણોમાંથી બહુ મળી રહેશે, એવો મને વિશ્વાસ છે; – પછી ભલે તે હિંદુ હો કે અન્યધર્મી.” [શ્રીમદ્ રાજચંદ્ર બાલબોધની પ્રસ્તાવનામાંથી જણાવી “પ્રબુદ્ધ જીવન” (૧-૨-૬૭)માં આવેલા ઉતારામાંથી.]
આજે હિંદને આપણો સમાજ જે કક્ષાએ પોતાની સ્વતંત્ર સ્વરાજની ધર્મયાત્રા શરૂ કરે છે, તે વખતે શ્રીમદ્ રાજચંદ્રને માટેની આવી ઉદાર ભાવભક્તિ ધરીને જો ચાલીએ, તો ગઈ સદીના આપણા આ ધર્મપુરુષનું ઉત્તમ તર્પણ કરી શકીએ – એમ કરીને એમની પાસેથી આપણ સૌને મળેલા મોંઘામૂલા વારસાને શોભાવી શકીએ.
– ૧૬-૧૧-'૬૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org