________________
પરિશિષ્ટ - ૧
૨૭૧
છે.' ઉપાય કરતાં શરદી ગઈ. પોણા આઠ વાગ્યે સવારે દૂધ આપ્યું. -તદ્દન સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયા પણ હતાં. પોણા નવે કહ્યું, ‘મનસુખ, દુ:ખ ન પામતા. માને ઠીક રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.' (તેમના કહેવાથી તેમને બીજા કોચ ઉપર ખસેડયા, ત્યાં) તે પવિત્ર દેહ અને આત્મા સમાધિસ્થભાવે છૂટા પડયા. લેશમાત્ર આત્મા છૂટો થયાનાં ચિહ્ન ન જણાયાં. લઘુશંકા, દીર્ધશંકા, મેઢે પાણી કે આંખે પાણી કે પરસેવા કશું નહતું.”
આમ સંવત ૧૯૫૭ના ચૈત્ર વદ ૫ ને મંગળવારે બપારે બે વાગતાં શ્રીમદ્ રાજચંદ્ર નાશવંત દેહનો ત્યાગ કરી ગયા.
તેમનાં ધર્મપત્ની પછી પોતાનો કાળ એકાંતમાં તેમણે આપેલા સ્મરણની માળામાં જ ગાળતાં હતાં. બહુ જ થોડા કાળમાં તેમનોં પણ દેહ છૂટી ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org