________________
:૨૭૦
જ્ઞાની ભકતની પ્રતિભા
ટીપ કરી, તેમાંથી મહાન આચાર્યોના અપ્રસિદ્ધ ગ્રંથે પ્રસિદ્ધ કરાવી લોકોમાં તત્ત્વવિચારનો ફેલાવા કરવા, એ તેના હેતુ હતેા. તે સંસ્થાનો વહીવટ પછી સ્વ. રેવાશંકરભાઈના પુત્ર શેઠ મણિલાલ ચલાવતા.
શ્રી. રાજચંદ્ર લક્ષ્મીનો ત્યાગ કર્યા પછી બહુ વ્રત પાળતા. તેને અંગે, પ્રભાવક મંડળનાં નાણાંની પડે તે તેને પણ તે અતિચારરૂપે લેખતા.
પરંતુ આ અરસામાં તેમની તબિયત ધીરે ધીરે બગડતી જ ચાલી. • હવાફેર માટે તેમને દરિયાકિનારે મુંબઈ, માટુંગા, શિવ અને નવસારી તરફ લઈ જવામાં આવ્યા. ત્યાંથી પછી વઢવાણ અને મેહરબીમાં આણવામાં આવ્યા. તેમના પદ્માસન અને કાઉસગ્ગમુદ્રાના બંને ફોટા · વઢવાણમાં જ આ અરસામાં લેવામાં આવ્યા હતા. પછી તે રાજકોટ ગયા. અશક્તિને લીધે દાક્તરોએ શ્રી. રાજચંદ્રને વાતચીત પણ વિશેષ ન કરવાની તજવીજ રખાવી હતી. તેમના નાના ભાઈ મનસુખભાઈ તથા શ્રી. રેવાશંકરભાઈ, ડૉ. પ્રાણજીવનદાસ, લીમડીવાળા મનસુખભાઈ વગેરે તેમની સારવારમાં હતા. પરંતુ તે બધાની પ્રેમ અને કાળજીભરી સારવાર પણ ગમનેાન્મુખ આત્માને રોકી શકી નહિ. તેમની અંતિમ અવસ્થાનું વર્ણન શ્રી. મનસુખભાઈ આ પ્રમાણે કરે છે:
66
‘હું છેવટની પળ સુધી અસાવધ રહ્યો. તે પવિત્રાત્માએ આડકતરી રીતે ચેતવ્યું તથાપિ રાગને લઈને હું સમજી શકયો નહિ....... દેહત્યાગના આગલા દિવસે સાયંકાળે રેવાશંકરભાઈ, નરભેરામ તથા મને કહ્યું, ‘ તમે નિશ્ચિંત રહેજો. આ આત્મા શાશ્વત છે. અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. તમે શાંત અને સમાધિપણે વર્તશે. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહ દ્વારા કહી શકાવાની હતી તે કહેવાના સમય નથી. તમે પુરુષાર્થ કરશેા.' આવી સ્પષ્ટ ચેતવણી છતાં અમે ચેતી શકયા નહિ. રાત્રિના અઢી વાગ્યે અત્યંત શરદી થઈ. તે સમયે તેઓશ્રીએ જણાવ્યું, ‘નિશ્ચિત રહે.
ભાઈનું સમાધિસ્યુ
Jain Education International
બારીકાઈથી તે વાતમાં ભળવું
..............
For Personal & Private Use Only
www.jainelibrary.org