________________
જ્ઞાની ભક્તની પ્રતિભા માત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ (જડ પદાર્થને), તે આત્માને કેટલું બંધન કરી સંપત્તિહીન કરે છે, તે આત્મા કોઈ પણ પ્રકારે વિસારીશ નહીં.”
ભેગની વસ્તુઓના ઉપયોગમાં પણ આ ઢબે દોષાનદર્શન કરવું એ જ્ઞાનનો અર્થ છે – મુમુક્ષુના પાથેયમાં એક વસ્તુ છે, એમ ગીતાકાર (અ) ૧૩-૮) જ્ઞાનના અર્થમાં જ કહે છે. કવિ આ પ્રકારની વૃત્તિથી લગ્નજીવનમાં પણ પોતાની નિગ્રંથ થવાની આત્મ-સાધના કરનાર પુરુષ હતા. પૂર્વના ભવે કરીને તે ગૃહાશ્રમી બન્યા છતાં પ્રયત્નવાન બનું છું, એમ તે સ્પષ્ટ કહે છે (શ્રી. ૧-૨૨૧):
“સ્ત્રી સંબંધમાં કાંઈ પણ રાગદ્વેષ રાખવા મારી અંશમાત્ર ઇચ્છા નથી, પણ પૂર્વોપાર્જિનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટક્યો છું.”
- “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં આ ૨૦-૨૧મા વર્ષની નોંધ ચાર જ પાનાં જેટલી ટૂંકી છે. તે જોતાં શ્રીમદ્ રાજચંદ્રના આંતર યુદ્ધનું અનુમાન કરી શકાય છે. એક જ દુ:ખ એમાં એ રડે છે:–
“એ જીવ, તું ભૂલ મા. સુખ અંતરમાં છે, તે બહાર શોધવાથી નહિ મળે. . . . અત્યારે હું કોણ છું, એનું મને ભાન નથી.”
એ ભાન આવે- એ ભૂલમાંથી નીકળી જવાય, એને ઉઘત પ્રયત્ન આ વર્ષોમાં જોરથી જાગ્રત થાય છે. દરેક સાધકના જીવનમાં, રાજકુમાર સિદ્ધાર્થ પેઠે, મારનો જય કરવાનું અથવા અર્જુન પેઠે ઊંડા વિષાદ-સાગરને તરી જવાનું – પરિપુનાં અંધારા ઉલેચવા જેવું, એક પલકે આખા જગતના સંમેહના અંધકારનો ચમકારો જોઈને તમ્મર ખાવાનું,- જે કહો તેવી વૈતરણી પાર કરવાની ઊડી મનોયાતના કોક ને કોક રૂપે તે આવે જ છે. શ્રીમનાં આ વર્ષે એવા સમયનાં હતાં, એમ એમના જીવનની આરસી જેવી તેમની નોંધપોથી જોતાં જણાય છે. જીવાત્માએ મેળવવાના, માર પરના એ જયનું એક જ સાધન છે, અને તે અનન્ય તથા ભક્તિનમ્ર સતત જાગૃતિ અથવા અપ્રમાદ છે. પુરુષાર્થમણિ રાજચંદ્ર એ અપ્રમાદ ધડો લેવા જેવી રીતે સાધ્યો હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org