________________
પરોપકારાય સતામ વિભૂય: 7 - બ્રહ્મચર્યાશ્રમ પછી ગાઈશ્યમાં પ્રવેશ કરતા સમાવર્તનને અંગે – કહો કે, માનવ જીવનની વિકાસયાત્રાના આગળના તબક્કાને માટે, સુપ્રસિદ્ધ પ્રાચીન આદેશ છે – પ્રતિવ્યમ્ - પ્રમાદ ન કરતો. અને તેવી ગફલત ન થવા દેવાનાં સ્થાન ગણાવતાં તેમાં ધર્મપાલન ઉપરાંત સ્વાધ્યાય અને પ્રવચન ગણાવ્યાં છે. ધર્માન પ્રતિવ્યમ્...સ્વાધ્યાયપ્રવેવના ન પ્રવતવ્યમ્ | કવિના જીવનમાં જ્ઞાનનિષ્ઠાના સ્વાધ્યાય અભ્યાસ ઉપરાંત સમરસિક પુરુષ સાથે તેના વિનિમય-રૂપ “પ્રવચન'વ્યવસાય પણ અવિરત ચાલતો જોવા મળે છે. બીજાનું પણ કલ્યાણ ચાહતા રહી, તદર્થે ઉદ્યમ કરવાનું પરોપકારી જીવન સાધકની દિનચને બીજો ભાગ — બીજું પાસું છે. માત્ર તે આત્મ-પ્રીત્યર્થે હેય: એક હાથે કરેલું કે દીધેલું બીજો હાથ ન જાણે, એવી નિર્લોભ નિષ્કામ વૃત્તિ તેમાં હોવી જોઈએ. પેલું પ્રસિદ્ધ સૂત્ર એ વિષે જાણીતું છે – “પરોપકારાય સતાં વિભૂતય:” – સજજન કે સાધુજન અથવા સપુરુષની વિભૂતિઓ પરોપકારાર્થે જ હોય છે. અને ચતુરાશ્રમવ્યવસ્થામાં બીજો આશ્રમ વ્યક્તિત્વની આ વિભૂતિઓ ખીલવવા માટે જ હોઈને, તેના આધારરૂપ ગણાય છે. કવિના ગૃહસ્થ જીવનમાં આ પ્રકારને સેવાભાવ કે પરોપકાર-વૃત્તિ તેમ જ સંસાર-સુધારાની નજર પણ બરોબર જોવા મળે છે. આ કાળમાં તેમણે સ્ત્રીઓ માટે નીતિની ગરબાવલી રચેલી, એ ખાસ નોંધપાત્ર ગણાય. તેમની નોંધપોથી જોતાં, પિતાના જીવનની ઉન્નતિને માટે આ કાળે વિચારેલો નીતિબોધ ટક જવા મળે છે –
એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org