________________
જ્ઞાની ભક્તની પ્રતિભા
૧૬. તેમનાં મૂર્ખસ્થાનને વિષેથી તે વખતે કારના ધ્વનિ થયા કરે છે, એમ ભાવવું.
૨૪૨
૧૭. તે ભાવના દૃઢ થયે તે ૐકાર સર્વ પ્રકારના વક્તવ્ય જ્ઞાનને ઉપદેશે છે, એમ ભાવવું.
૧૮. જે પ્રકારના સમ્યક્ માગે કરી વીતરાગદેવ વીતરાગ નિષ્પન્નતાને પામ્યા એવું જ્ઞાન તે ઉપદેશનું રહસ્ય છે, એમ ચિતવતાં ચિંતવતાં, તે જ્ઞાન તે શું? – એમ ભાવનું.
“ધ્યાનના ઘણા ઘણા પ્રકાર૧ છે. એ સર્વમાં ો” એવું તે, આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે, તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ, ઘણું કરીને, આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બાધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બાધની પ્રાપ્તિ, ઘણું કરીને, ક્રમે કરીને ઘણા જીવાને થાય છે, અને તેને મુખ્ય માર્ગ તે બાધ-સ્વરૂપ એવા જ્ઞાની પુરુષના આાય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે. જ્ઞાની પુરુષના તેવા તેવે સંગ જીવને અનંતકાળમાં ઘણી વાર થઈ ગયા છે; તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેના આશ્રય ગ્રહણ કરવા, એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી; અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તે દૃઢ કરીને લાગે છે.
“જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ: એકતા ‘ હું જાણું છું’, ‘હું સમજું છું', એવા પ્રકારનું મા. ...... બીજું, પરિગ્રહાદિકને વિષે, જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ત્રીજું, લેાક-ભયને લીધે, અપકીર્તિ
૧. એ બધાનું સિદ્ધાંતરૂપ નિરૂપણ ગીતા અ॰ ૬ અહીં શ્વેતાં અભ્યાસી વાચકને રમૂજ પડશે. જેમ કે, ઉપરનું ૧૮-વિધ સૂચન તે અધ્યાયના ૧૦ થી ૩૦ ક્ષેાકેાના વહેવારુ ભાષ્યરૂપ છે.
૨. જુઓ ગીતા અ॰ ૪-૩૩, ૩૪ ૪૦ શ્લેાકેા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org