________________
સમાધિમાગ
૨૪૩
વિમુખ રહેવું, તેના
ભયને લીધે, અને અપમાન-ભયને લીધે જ્ઞાનીથી પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું, એ ત્રણે દોષનું ઉપાદાન કારણ એવા તે એક ‘સ્વચ્છંદ' નામનો મહાદોષ છે, અને તેનું નિમિત્ત-કારણ અસત્સંગ છે.......
""
......
ધ્યાન અંગે ઉપર જે પ્રક્રિયા વર્ણવી છે તેનું રહસ્ય સમજવા, કવિશ્રીને અંગે અગાઉ તેમની મૂર્તિપૂજાના પ્રતીકમાં શ્રદ્ધા તથા સત્સંગ-સદ્ગુરુ-સમાગમ આદિ ભાવાની ચર્ચા કરી, તે બધાને સમગ્ર વિચાર કરવા જોઈએ. તા યોગસૂત્રકાર ‘ઈશ્વરપ્રણિધાન ’ને ‘ અભ્યાસવૈરાગ્ય ' સાધનના વિકલ્પમાં જે મૂકે છે (યોગસૂત્ર ૧ - ૨૮), તેમાં રહેલું સાધનાતત્ત્વ આ બધી કવિશ્રીની પ્રતિભામાંથી આકાર લેતું જણાશે.
ઈશ્વરનું નામ ૐકાર; તેના જપ અને તેના અર્થ (ઈશ્વર)ની ભાવના કરવી, એ તેના પ્રણિધાનના અર્થ – એમ યોગ-સૂત્રકાર (૧૨૩થી ૨૮) કહે છે, – એ જ બાબતને કવિ એમની સરળ સીધી લેાકભાષામાં અનુલક્ષીને સમજાવે છે. અને આવા ઈશ્વર-પ્રણિધાન-કેધ્યાન વડે સૂત્રકાર જે પામી શકાય છે તે કહે છે (૧-૨૯):- તતઃ પ્રત્યવચેતના ધામ: અંતરાયામાવશ્ર ।। તે (રીતના ઈશ્વરપ્રણિધાન )થી પણ પ્રત્યક્-ચેતનની પ્રાપ્તિ થાય છે અને (સાધનાના માર્ગના) અંતરાયો પણ મટે છે. (પ્રત્યક્-ચેતન એટલે દરેકના અંત:કરણમાં વિરાજતું કે પ્રતીત થતું ચેતન. અથવા આપણા સ્વભાવમાં રહેલું અધ્યાત્મ-તત્ત્વ; એને જ કવિશ્રી ઉપર ‘આત્મધ્યાન અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ' એમ કહીને કહે છે.) .
ઉપરના વિવેચનમાં એક અંશ તરફ ધ્યાન ખાસ ખેંચવા જેવું છે, તે જ્યાં કવિએ ઉપર ક્રમ ૫ મા નીચે “આ જે દર્શન કહ્યું છે તે માલ્યમાન દર્શન સમજવું ” – એમ જે કહ્યું છે તે. જે રીતનું ધ્યાન
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org