________________
જ્ઞાની ભક્તની પ્રતિભા - “અમે તે પાંચ માસ થયાં જગત, ઈશ્વર, અને અન્યભાવ એ સર્વને વિષે ઉદાસીનપણે વર્તીએ છીએ..... અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી; સ્વરૂપને વિષે સ્થિર રહે છે......” - “#નમસ્કાર” મથાળાથી, (મુંબઈ, ભાદરવા વદ ૮ બુધ, ૧૯૪૮ના રોજ) સ્વતંત્ર લેખ કવિને છે, તેમાં (શ્રી ૧- ૩૯૭) તે કહે છે –
જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું, એ જ્ઞાની પુરુષનું સનાતન આચરણ છે; અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે; અર્થાત, જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, તે સંસારના કાર્યની પ્રવૃત્તિને ઉદય છે, અને ઉદય અનુક્રમે વેદના થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ-વૃદ્ધિ કરવાની ઇચ્છા ઉત્પન્ન થતી નથી, અને એમ જાણીએ છીએ કે, જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે; તથાપિ તેમાં સ્નેહ રહ્યો નથી, અથવા સ્નેહ રાખવાની ઇચ્છા નિવૃત્ત થઈ છે, અથવા નિવૃત્ત થવા આવી છે,* તેવા આ સંસારમાં કાર્યપણે – કારણ પણે પ્રવર્તવાની ઇચ્છા રહી નથી, તેનાથી નિવૃત્તિપણું જ આત્માને વિષે વર્તે છે; તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ – પ્રસંગમાં પ્રવર્તવું પડે, એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, જે સમપરિણામે વેદન કરીએ છીએ; તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદય-જોગ છે, એમ જાણી કવચિત ખેદ પામીએ છીએ, કવચિત વિશેષ ખેદ પામીએ છીએ, અને તે ખેદનું કારણ વિચારી જોતાં તો પરાનુકંપા-રૂપ જણાય છે. હાલ તો તે પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઇચ્છા ઉત્પન્ન થતી નથી, તથાપિ તે ઉદયમાં બીજા કોઈને સુખ, દુઃખ, રાગ, દ્રોપ, લાભ, અલાભના કારણ રૂપે બીજાને ભાસીએ છીએ. તે ભાસવાને વિષે લોકપ્રસંગની
જે સરખાવે આ સ્થિતિ (ગીતા અ. - ૬-૨, ૪, ૨૪; અ. ૧૨, ૧૬; અ. ૧૪- ૨૫) સંકલ્પ-સંન્યાસ અથવા સરંભ-પરિત્યાગ તરીકે ગીતામાં વર્ણવી છે; તે અહીં અભ્યાસીએ મનન કરવા જેવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org