________________
સ્થાપિતા બ્રહ્મવાદે હિ!”
૨૧૩
અમને પૂછજો. સત્શાસ્ત્રને અને સત્કથાને તેમ જ સવ્રતને સેવજો. રૂવ નિમિત્ત માત્ર.” (શ્રી,૧ - ૨૯૦)
વાચક આ ઉતારાઓમાંથી જોઈ શકશે કે, શ્રીમદ્ જૈન સુધારણા વિષે જે પરમાર્થી પુરુષાર્થ કરવાના મનેરથ સેવતા હતા, તેના અનુબંધમાં
આ પત્ર વાત કરે છે (જુઓ આગળ પા. ૭૫). ગૃહસ્થ-જીવન ધારણ કરતાં છતાં કવિશ્રી પાતાની કલ્પનાને “ શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ”, એવા સંકલ્પવાન છે અને તે અર્થે` જરૂરી સામર્થ્ય મેળવવાને, પૂર્વજરૂર તરીકે, પરમ-જ્ઞાન મેળવવાની અભિલાષા સેવે છે. અને તેમાં તે નિગ્રંથતાની પરમ નિવૃત્તિ કે સંન્યાસ પર પહોંચવાની કક્ષા બાકી છે, એમ જણાવે છે.
66
કવિ ચાર આશ્રમની જીવનવ્યવસ્થામાં માને છે; તેમાં પણ “ પરમર્ષિ નાભિપુત્રે ભારતમાં નિગ્રંથધર્મને જન્મ ” આપ્યો, તે તરફ તેમની વિશેષ રુચિ ને આકર્ષણ છે. જે મહાધર્મ સ્થાપવા છે તેને માટે ચોથા આશ્રમની જરૂર તે માને છે; અને તેની પ્રાપ્તિ આ કાળના પ્રવર્તમાન પોતાના જીવનમાંથી થાય, એવા સંજોગ તે જોતા નથી; – આ એક એમની આરતનું ઊંડુ કારણ રાંમવે છે. છતાં તે સ્વસ્થ ભાવે ચાલુ જીવનમાં વ્યવહાર કરે છે; એટલી દૃઢ નિશ્ચયબુદ્ધિ અને સ્વાત્મ: નિષ્ઠા તેમને સંપડી છે: “ ફિકર નહીં મુઝે તરનનકી ”ના જેવી આ સ્વસ્થતા તેમને સાપડતી જોવા મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org