________________
૩ર. બ્રહ્મજિજ્ઞાસુને વિષાદયોગ પ્રેમભક્તિની “અખંડ પ્રેમ-ખુમારી' અને બ્રહ્મવાદની મસ્તીમાં કવિશ્રી તેમના જીવનના આ કાળે કેવા લીન થતા જતા હતા, તે. જોયા પછી, તેમાં એક ઉદાત્ત વિષાદભાવની ઝીણી છાંટ કે છાયા જેવી વસ્તુ રહેલી હતી, – જે એમની પ્રતિભાનું એક ખાસ નોંધપાત્ર લક્ષણ કહેવાય; તે હવે વિશેષ રૂપે જોઈએ.
કવિશ્રીનો આ જીવનકાળ એટલે તેમના ૨૪મા વર્ષથી આગળ પ્રવર્તતા સમય છે, – જેમાંથી તે આમેદય પામે છે. તે પૂર્વેના અરુણોદય સમી આ સ્થિતિને, તેથી કરીને, જિજ્ઞાસુનો ‘વિષાદયોગ’ મથાળે નિરૂપી છે. આવો પરમ પવિત્ર વિષાદ સાધકજીવનની જ વિભૂતિ છે; અને તે કવિના જીવનના આ સમયે સમજવી ઘટે છે.
આ સ્થિતિને ગીતાની પરિભાષામાં વર્ણવીએ તો, કવિ હવે ‘સ્થિતપ્રજ્ઞ', અથવા “નિર્દૂ, નિત્યસ્વસ્થ નિર્યોગક્ષેમ અને આત્મવાન’ (અ) ૨-૪૫) થવાની બારીક ઘડી પર પહોંચે છે, એમ (તેમનાં આ વર્ષનાં ઉદ્ગાર-લેખન વગેરેમાંથી) જોવા મળે છે. અથવા બીજા પર્યાયથી કહીએ તો, તે આ વરસે (અ) ૬-૩ ઇ૦) યોગારૂઢ’ થાય છે; અને શમ-સાધનની યાત્મ-બુદ્ધિથી હવે તે પોતાની જીવનસાધનામાં આગળ ચાલે છે. તેમની “સમુચ્ચય-જીવન-ચર્યા' પર ઊડતી નજર કરીને જોઈએ તો, ૧૯મા વર્ષે લગ્નજીવન-પ્રવેશ રૂપે “બીજો ભવ’ માંડવો, ત્યાંથી ૫ વર્ષમાં તેઓ એ ભવને પૂર્વજન્મ-કર્મ-બંધ પાર કરીને, જેને ગીતાકાર “ના જ્ઞાનસ્થ યા ’ કહીને વર્ણવે છે, તે પદે પહોંચવા પર ગતિ કરી રહ્યા છે:
૨૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org