________________
૨૧૨
જ્ઞાની ભક્તની પ્રતિભા કરેલો પ્રયત્ન સફળ થાય છે. અને એવી દશા થયા વિના પ્રગટ માર્ગ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી, એમ મને લાગે છે. માટે દૃઢ નિશ્ચય કર્યો છે કે, એ દશાને પામી પછી પ્રગટ માર્ગ કહેવો – પરમાર્થ પ્રકાશવો, – ત્યાં સુધી નહીં. અને એ દશાને હવે કંઈ ઝાઝો વખત પણ નથી. પંદર અંશે તો પહોંચી જવાયું છે. નિર્વિકલ્પતા તો છે જ, પરંતુ નિવૃત્તિ નથી. નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય. ત્યાર પછી ત્યાગ જોઈએ, અને ત્યાર પછી ત્યાગ કરાવવો જોઈએ...... આટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું જ યોગ્ય છે. એક અક્ષરે એ વિષે વાત કરવા ઇચ્છા થતી નથી....”
પછીને એક પત્ર (મુંબઈ, પોષ સુદ ૧૪, શુક્ર ૧૯૪૭) “મહાભાગ્ય જીવનમુક્ત” સોભાગચંદને “આયુષ્યમાન ભાઈ”થી સંબોધીને લખેલે છે, તેમાં આ જ સ્થિતિ નિરૂપતાં કહે છે – “સતને સત રૂપે કહેવાની પરમ જિજ્ઞાસા જેની નિરંતર હતી, એવા મહા-ભાગ્ય. કબીરનું એક પદ ...... અહીં એક તેની સાથેની ટૂંક લખી છે: –
કરના ફકીરી કયા દિલગીરી,
સદા મગન મન રહેના જી!” એ વૃત્તિ મુમુક્ષુઓને અધિકાધિક વર્ધમાન કરવા જેવી છે. પરમાર્થચિંતા હોય એ વિષય જુદો છે; વ્યવહાર-ચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું, એ એક માર્ગ માપવાનું સાધન છે. .
અમારી વૃત્તિ જે કરવા ઇચ્છે છે, તે નિષ્કારણ પરમાર્થ છે; એ વિષે વારંવાર જાણી શકયા છો; તથાપિ કંઈ સમવાય કારણની ન્યૂનતાને લીધે હાલ તો તેમ કંઈ અધિક કરી શકાતું નથી. માટે ભલામણ છે કે, અમે હાલ કંઈ પરમાર્થજ્ઞાની છીએ અથવા સમર્થ
એ એવું કથન કીતિ કરશો નહીં. કારણ કે એ અમને વર્તમાનમાં પ્રતિકૂળ જેવું છે. તમે જેઓ સમજ્યા છો, તેઓ માર્ગને સામ કરવા નિરંતર સપુરુષના ચરિત્રનું મનન રાખજો. તે વિષય પ્રસંગે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org