________________
“થાપિત બ્રહ્મવાદ હિ!” ૨૦૭
एकोऽहम् बहु स्याम् । [પછીની નેંધ “તે અચિંત્ય-મૂર્તિ હરિને નમસ્કાર” એવે મથાળે છે, “તે ગીતાના વિશ્વરૂપદર્શન’ની ઝલક બતાવે છે તેમાં કહ્યું છે:
પરમ પ્રેમસ્વરૂપ આનંદમૂર્તિ આનંદ જ જેનું સ્વરૂપ છે એવા શ્રીમાન-હરિનાં ચરણકમળની અનન્ય ભક્તિ અમે ઇચ્છીએ છીએ. વારંવાર અને અસંખ્ય પ્રકારે અમોએ વિચાર કર્યો કે, શી રીતે અમે સમાધિરૂપ હોઈએ? તો તે વિચારનો છેવટે નિર્ણય થયો કે, સર્વ રૂપે એક શ્રીહરિ જ છે, એમ તારે નિશ્ચય કરવો જ.
“અનંત પ્રદેશ ભૂત એવું તે શ્રી પુરુષોત્તમનું સ્વરૂપ રોમે રોમે અનંત બ્રહ્માંડાત્મક સત્તાએ ભર્યું છે, એમ નિશ્ચય છે, એમ દૃઢ કરું છું.
“આ સુષ્ટિ પહેલાં તે શ્રીમાન પુરુષોત્તમ એક જ હતા અને તે પોતાની ઇચ્છાથી જગતરૂપે થયેલ છે.
“બીજભૂત એવા તે શ્રીમાન પરમાત્મા આવી મહા વિસ્તાર સ્થિતિમાં આવે છે. સર્વત્રા ભરપૂર એવો અમૃતરસ તે બીજને વૃક્ષ સમ થવામાં શ્રીહરિ પ્રેરે છે.
સર્વ પ્રકારે તે અમૃતરસ તે શ્રી પુરુષોત્તમને ઇચ્છારૂપ નિયતિને અનુસરે છે, કારણ કે તે તે જ છે.
“અનંતકાળે શ્રીમાન હરિ આ જગતને સંપેટે છે. ઉત્પત્તિ પ્રથમ બંધ મોક્ષ કાંઈ હતું નહીં અને અનંત ક્ષય પછી હશે પણ નહિ. હરિ એમ ઇચ્છે જ છે કે, એક એવો હું બહુ રૂપે હોઉં અને તેમ હોય છે.”
जीव, जगत ने हरिनी माया 'તેમના હસ્તાક્ષરની મળેલી એક નોંધપોથીમાં નીચેના વાકયો જેવા ભાવોદ્ગાર નોંધાયા (શ્રી.૧- ૨૬૭) જોવા મળે છે:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org