________________
જ્ઞાની ભકતની પ્રતિભા “અપૂર્ણ બતાવેલું, – એવું એક લખાણ (શ્રી,૧ - ૨૬૬) છે, તેમાં કહ્યું છે:
वासुदेवः सर्वम् इति શ્રીમાન પુરુષોત્તમ, શ્રી સદ્ગુરુ અને સંત એ વિશે અમને ભેદબુદ્ધિ છે જ નહીં. ત્રણે એકરૂપ જ છે.
આ સમસ્ત વિશ્વ ભગવરૂપ જ છે. ભગવત જ સ્વેચ્છાએ જગદાકાર થયા છે. ”
અમારો અને સર્વ જ્ઞાનીઓનો નિશ્ચય છે કે, અનંત સ્વરૂપે એક તે ભગવત જ છે.
तत् त्वम् असि સર્વ આ જે કંઈ પ્રવર્તે છે તે શ્રીમાન હરિથી જ પ્રવર્તે છે. સર્વ તે છે. સર્વ તે જ રૂપ છે, ભિનભાવ અને ભેદભેદને અવકાશ જ નથી; તેમ છે જ નહીં. ઈશ્વરેચ્છાથી તેમ ભાસ્યું છે; અને તે તે(શ્રીમાન્ હરિ)ને જ ભાસ્યું છે, અર્થાત્ તું તે જ છે. તત્વમસિ”
___अहं ब्रह्मास्मि “આનંદને અંશ આવિર્ભાવ હોવાથી જીવ તે શોધે છે અને તેથી જેમાં ચિત અને આનંદ એ અંશો તિરોભાવે કર્યા છે એવા જડમાં શોધવાના ભ્રમમાં પડ્યો છે, પણ તે આનંદ-સ્વરૂપ તો ભગવતમાં જ પ્રાપ્ત થવાનું છે. જે પ્રાપ્ત થયે આવો અખંડ બોધ થયે, આ સમસ્ત વિશ્વ બ્રહ્મરૂપ જ ભગવરૂપ જ ભાસશે. એમ અમારો નિશ્ચય અનુભવ છે જ. ,
“જ્યારે આ સમસ્ત વિશ્વ ભગવસ્વરૂપ લાગશે, ત્યારે જીવભાવ મટી જઈ સત-ચિત-આનંદ એવું બ્રહ્મસ્વરૂપ પ્રાપ્ત થશે. “અહં બ્રહ્માસ્મિ'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org