________________
૩૧
સ્થાપિતે બ્રહ્મવાદો હિ! 7 તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુ:ખ નથી, શંકાનું નિમિત્તા નથી, અંતરંગ મોહિની નથી, સત્ સત્ નિરુપમ, સર્વોત્તમ, શુકલ, શીતળ, અમૃતમય દર્શનશાન; સમ્યક
જ્યોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદર્શિતાની બલિહારી છે!
જ્યાં મતભેદ નથી; જ્યાં શંકા, કંખા, વિતિગિચ્છા, મૂઢદૃષ્ટિ – એમાંનું કાંઈ નથી. છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી. છે તે.” (શ્રી,૨ - ૨૩૨)
અખંડ પ્રેમખુમારી'ને મળતી ઉન્મની દશા કવિ આ સમયે પિતામાં અનુભવે છે, તેને જ વિસ્તાર બ્રહ્મવિદ્યાની પરિભાષામાં પણ સહેજે ફુરતો; તે તેમનાં આ કાળનાં લખાણોમાં જોવા મળે છે. વેદાન્તનાં મહાવાક્યો ગૂંથીને અને તેની ભાષામાં સરતી કવિની કલમનો એ પ્રવાહ ગદ્ય-કાવ્ય-રૂપ પ્રસાદ ભરેલું લાગે છે!
આ કાળે તેમના સહ-સાધક મિત્રોના પત્રોમાં પણ આ દશાનો સહજ પ્રભાવ પડતો જોવા મળે છે. પત્રોમાં મિત્રને માટે સંબોધનમાં, દાળ૦, આવાં આવાં વિશેષણો વપરાયેલાં જોવા મળે છે – “આત્માર્થી”, “શાંતમૂર્તિ”, “મહાભાગ્ય’, ‘જીવન્મુક્ત', “કેવલબીજસંપન્ન” ઇ૦.
આ ટૂંકમાં હવે જોઈએ:
૨૩મા વર્ષમાં (નક્કી મિતિ લખેલી નથી મળતી) “ સતુથી પ્રારંભ થતું અને અંતે “અહં બ્રહ્માસ્મિ'થી પૂરું થયું, – છતાં છેવટે
૨૦૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org