________________
૨૦૨
જ્ઞાની ભકતની પ્રતિભા કરી શકાતો નથી. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ, લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ; જાળવીએ છીએ, અને વળી ખેદ પામીએ છીએ. વળી હસીએ છીએ.– જેનું ઠેકાણું નથી, એવી અમારી દશા છે; અને એનું કારણ માત્ર હરિની સુખદ ઈચ્છા જયાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટતો નથી...”
- એમ કરેલા તેમની “દશાના ટૂંકા વર્ણન” ને અંતે તેને સમારોપ કરતાં પત્રમાં લખ્યું છે: –
. પ્રભુની પરમ કૃપા છે. અમને કોઈથી ભિન્ન ભાવ રહ્યો નથી... “સિદ્ધાન્તજ્ઞાન’ અમારા હૃદયને વિષે આવરિત રૂપે પડયું છે. હરિઇચ્છા જો પ્રગટ થવા દેવાની હશે, તે થશે. અમારો દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હરિ છે, સર્વ હરિ છે, અને તેમ છતાં આમ વહીવટમાં છીએ, એ એની ઇરછાનું કારણ છે. (સહી સ્થાને લખ્યું છે:-) ૩ શાંતિ: શાંતિ: શાંતિ:”
આમ વર્ણવેલી દશાને જ પડધે, તે પછી બે મહિને રાળજ મુકામે ભાદરવા સુદ ૮, ૧૯૪૭ રોજ લખેલા પ્રભુભક્તિના નીચેના દોહરામાં (શ્રી.૧૩૩૧) પડેલો વરતી શકીએ
હે પ્રભુ, હે પ્રભુ, શું કહું, દીનાનાથ દયાળ; હું તે દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ? નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉર માંહી;. આપ તણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહીં.
અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org