________________
અખંડ પ્રેમખુમારી
૨માં ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ, તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ, અમારે શું કરવાનું છે, તે કોઈથી કળાય તેવું નથી; અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ; વ્રત નિયમન કંઈ નિયમ રાખ્યો નથી; જાતભાતનો કંઈ પ્રસંગ નથી; અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી; અમારાથી સન્મુખ એવા સત્સંગી નહિ મળતાં ખેદ રહે છે; સંપત્તિ પૂર્ણ છે, એટલે સંપત્તિની ઇચ્છા નથી; શબ્દાદિક વિષયો અનુભવ્યા મૃતિમાં આવવાથી, - અથવા ઈશ્વરેચ્છાથી તેની ઈચ્છા રહી નથી; પોતાની ઇચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે; જેમ હરિએ ઇચ્છલ ક્રમ દોરે તેમ દોરાઈએ છીએ, હૃદય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે; પાંચે ઇંદ્રિ શૂન્યપણે પ્રવર્તવા-રૂપ જ રહે છે; નય, પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભરતાં નથી; કંઈ વાંચતાં ચિત્ત સ્થિર રહેતું નથી; ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પોતાની ઇચ્છા પ્રમાણે વર્તે છે; મન પિતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી.
“આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે; એક પ્રકારે તે ઘેલછા કંઈક છૂપી રાખીએ છીએ; અને જેટલી છૂપી રખાય છે તેટલી હાનિ છે. યોગ્ય વર્તીએ છીએ કે અયોગ્ય એને કંઈ હિસાબ રાખ્યો નથી. આદિપુરુષને વિષે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે.
આટલું બધું છતાં મન-માનતી ઉદાસીનતા નથી, એમ માનીએ છીએ; અખંડ પ્રેમ-ખુમારી જેવી પ્રવહેવી જોઈએ, તેવી પ્રવહતી નથી, . એમ જાણીએ છીએ; આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ નિશ્ચળપણે જાણીએ છીએ; પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડયો છે અને તે સર્વને દોષ અમને છે કે હરિને છે, એવો ચોક્કસ નિશ્ચય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org