________________
૧૯૮
જ્ઞાની ભકતની પ્રતિભા મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું, તેમ અમને હમણાં વર્તે છે. આત્મદર્શન પ્રાપ્ત છતાં પણ વ્યાસજી આનંદ-સંપન્ન થયા નહોતા; કારણ કે, હરિરસ અખંડપણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે.. અખંડ એવો હરિરસ પ્રથમ પ્રેમે અખંડપણે અનુભવતાં હજુ કયાંથી આવડે? અને જ્યાં સુધી તેમ નહીં થાય, ત્યાં સુધી અમને જરાતમાંની વસ્તુનું એક અણુ પણ ગમવું નથી.
ભગવાન વ્યાસજી જે યુગમાં હતા તે યુગ બીજો હત; આ કળિયુગ છે; એમાં હરિસ્વરૂપ, હરિનામ, અને હરિજન દૃષ્ટિએ નથી આવતાં, શ્રવણમાં પણ નથી આવતાં; એ ત્રણેમાંના કેઈની સ્મૃતિ થાય, એવી કોઈ પણ ચીજ પણ દૃષ્ટિએ નથી આવતી. બધાં સાધન કળિયુગથી ઘેરાઈ ગયાં છે. ઘાણું કરીને બધાય જીવ ઉન્માર્ગે પ્રવર્તે છે, અથવા રાન્માર્ગની સન્મુખ વર્તતા નજરે નથી પડતા. કવચિત મુમુક્ષુ છે, પણ તેને હજી માર્ગનો નિકટ સંબંધ નથી ......”
તે પછી બીજે જ દિવસે પાછો ટૂંકો જ પત્ર લખ્યો છે (શ્રી. ૧- પા. ૩૩૯) તેમાં કેવું ગૂઢાર્થ અનુભૂતિ-વાક્ય એક માત્ર લખી મોકલ્યું છે:
“ભગવત મુક્તિ આપવામાં પણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે, એમ લાગે છે. એવો ભગવાનને લેભ શા માટે હશે?"*
આમ જોતાં, મુક્તિનો – “હરિનો મારગ' શૂરાઓનો છે – “શુરસંગ્રામ’ છે. સ્ત્રી-વૈશ્ય-શૂક પર્વતના સર્વ માટે સુલભ કહેવાયો, તેથી તે કાંઈ ફૂલની શૈય્યા છે, તે તો તેનો અર્થ નથી. છતાં, મુક્તિના આ મારગમાં વિચારમાર્ગ અને ભીનમ એવા ભેદ પડી શકે છે; જેવા કે, સાંખ્ય અને યોગ નામથી ગીતાએ નિરૂપ્યા છે, અને એ બે વચ્ચે # અહીં સરખા નીચેની ભક્તવાણીઃ
ભૂતળ ભક્તિ પદારથ મોટું .. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે ! ”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org