________________
૧૯ર
જ્ઞાની ભકતની પ્રતિભા મહાત્મામાં જેને દૃઢ નિશ્ચય થાય છે, તેને મહાસક્તિ મટી પદાર્થને નિર્ણય હોય છે, તેથી વ્યાકુળતા મટે છે; તેથી નિઃશંકતા આવે છે. જેથી જીવ સર્વ પ્રકારના દુ:ખથી નિર્ભય હોય છે અને તેથી જ નિ:સંગતા ઉત્પન્ન હોય છે, અને એમ યોગ્ય છે.
માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે. તેને પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો અને તે સમજવું એમ અમે કહીએ છીએ. ... કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ-વિચાર વિના ન રહેવું, એમ મહાત્માઓની શિક્ષા છે.”
બીજી વસ્તુ પરાભક્તિ માટેની ઝંખના – તે વિષે શ્રીમી આ સમયે બનેલી વૃત્તિ અને તેની તીવ્રતા હવે જોઈએ; – કે જેને તે મુમુક્ષા અને જ્ઞાન બંનેનું બલ-પ્રેરક અને સંવર્ધક કારણ માને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org