________________
કાલ-દર્શન અને મુમુક્ષતા
૧૯૧ પ્રાપ્તિ હોય છે. એ “પરમ દન્યત્વ' જ્યાં સુધી આવરિત રહ્યું છે, ત્યાં સુધી જીવની જોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે.*
૩. કદાપિ એ બંને થયાં હોય, તથાપિ વાસ્તવિક તત્ત્વ પામવાની કંઈ જોગ્યતાની ઓછાઈને લીધે, પદાર્થનિર્ણય ન થયો હોય, તો ચિત્તા વ્યાકુળ રહે છે, અને મિથ્યા સમતા આવે છે, કલ્પિત પદાર્થ વિષે “સ”ની માન્યતા હોય છે – જેથી કાળે કરીને અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતો નથી, અને એ જ પરમ જોગ્યતાની હાનિ છે.
આ ત્રણે કારણો, ઘણું કરીને, અમને મળેલા ઘણાખરા મુમુક્ષમાં અમે જોયાં છે. માત્ર બીજા કારણની કાંઈક ન્યૂનતા કોઈ કોઈ વિશે જોઈ છે, અને જો તેઓમાં સર્વ પ્રકારે [ પરમ દેવતાની (પરમ વિનયની) ખામીની] ન્યૂનતા થવાનું પ્રયત્ન હોય, તે જોગ્ય થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે; અને ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે.
અધિક શું કહીએ, અનંત કાળે એ જ માર્ગ છે.
પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી. (અને પરમ વિનયમાં વવું યોગ્ય છે.) અને મહાત્માના જેગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, તો ઓળખાશે. મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે.
* આનું પાઠાંતર એવું મળે છે કે –
“તથારૂપ ઓળખાણ થયે સદ્ગુરુમાં પરમેશ્વર-બુદ્ધિ રાખી તેમની આજ્ઞાએ પ્રવર્તવું, તે “પરમ વિનય કહ્યો છે. તેથી પરમ જેગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ વિનય જ્યાં સુધી આવે નહીં, ત્યાં સુધી જીવને જે ગ્યતા આવતી નથી.”
આ “પરમ વિનય” કે “દૈન્યત્વ” કે “દાસત્વ” ભાવ તે જ અધ્યાત્મપરિભાષામાં ભક્તિ કહેવાય છે. આવી ભક્તિના ઊગમમાંથી જ્ઞાનને બુદ્ધિગ સાંપડે છે, એટલે સુધી ગીતા કહે છે, તે અહીં જોવા જેવું છે. (અ) ૧૦- ૧૦, ૧૧; ૬-૩૦, ૩૧; ૫-૪ થી ....)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org