________________
જ્ઞાની ભકતની પ્રતિભા
“સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હિન પામ્યા છે, ત્યાં તેટલી બાધબીજ યાગ્ય ભૂમિકા થાય છે.
-૧૯૦
“ સ્વચ્છંદ જ્યાં પ્રાયે દબાયા છે, ત્યાં પછી ‘મેાક્ષપ્રાપ્તિ ’ને રોકનારાં ત્રણ કારણેા મુખ્ય કરીને હેાય છે, એમ અમે જાણીએ છીએ: (૧) આ લાકની અલ્પ પણ સુખેચ્છા, (૨) પરમ દૈન્યતાની (પરમ વિનયની) છાઈ, અને (૩) પદાર્થના અનિર્ણય.*
“ એ બધાં કારણેા ટાળવાનું બીજ હવે પછી કહીશું. તે પહેલાં તે જ કારણેાને અધિકતાથી કહીએ છીએ:
-
“ (૧) ‘આ લાકની અલ્પ પણ સુખેચ્છા ', એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાનાં કારણેા નિ:શંકપણે તે ‘સત્' છે એવું દૃઢ થયું નથી, અથવા તે પરમાનંદરૂપ’ જ છે, એમ પણ નિશ્ચય નથી. અથવા તે મુમુક્ષુતામાં પણ કેટલાક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્ય શાતાનાં કારણેા પણ કેટલીક વાર પ્રિય લાગે છે, (!) અને તેથી આ લેાકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે; જેથી જીવની જોગ્યતા રોકાઈ જાય છે.
“(૨) સત્પુરુષમાં જ પરમેશ્વર-બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે; જેથી સર્વ પ્રાણી વિષે પેાતાનું દાસત્વ મનાય છે અને પરમ જોગ્યતાની
* સામાન્ય પરિભાષામાં, અનુક્રમે આ ત્રણ એટલે ૧. કામ-બંધન, ૨. ‘ભક્તિ ’ને। અભાવ, અને ૩. અજ્ઞાન કે તત્ત્વાવખાધને અભાવ. શ્રીમનું આ વિવરણ, ગીતા અ૦ ૧૩-૭થી ૧૧માં જ્ઞાન અને અજ્ઞાનના જીવનમાં જે અર્થ થાય તે રીતે બતાવ્યું છે, તેની સાથે સરખાવે. તથા ઊઁચનું સ્વરૂપ પણ પછીના શ્લોકમાં (૧૨ થી ૧૮) છે, તે પણ જોવાથી અભ્યાસીને આ સમજવાની રમૂજ પડશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org