________________
કાલ-દશ ન અને સુમુક્ષુતા
૧૯૯
એક સરસ નાના લેખ (શ્રી.૧-૩૨૪) છે, તેમાંથી કેટલુંક અહીં જોવાથી મુમુક્ષાનું આકલન ટૂંકમાં સમજાશે :—
“પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે; અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે; પણ સર્વથી મોટા દોષ એ છે, કે જેથી ‘તીવ્ર મુમુક્ષુતા' ઉત્પન્ન ન જ હોય, અથવા ‘મુમુક્ષુતા’ જ ઉત્પન્ન ન હોય.
66
ઘણું કરીને મનુષ્યાત્મા કોઈ ને કોઈ ધર્મમતમાં હોય છે, અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તાવાનું તે કરે છે, એમ માને છે; પણ એનું નામ ‘મુમુક્ષુતા’ નથી.
‘મુમુક્ષુતા તે છે કે, સર્વ પ્રકારની માહાસક્તિથી મૂંઝાઈ એક ‘મેાક્ષ ’ને વિષે જ યત્ન કરવા; અને ‘તીવ્ર મુમુક્ષુતા' એ છે કે, અનન્ય પ્રેમે મેક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. તે (મુમુક્ષુતા) ઉત્પન્ન થવાનું લક્ષણ પાતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે* સ્વચ્છંદના નાશ થાય છે.
66
......
*
આ સ્વચ્છંદ'ની વ્યાખ્યા અધ્યાત્મ-ક્ષેત્રે સમજાવતા એક પત્ર છે, – તેમાં સ્વચ્છંદ વિષે કહે છે તે આ સાથે જોઈ લેવું ઠીક છેઃ
મુંબઈ, માહ સુદ ૭, રવિ, ૧૯૪૭; શ્રી.૧-૨૯૨ના તે પત્રમાં કહે
છે કેઃ—
“ જીવને એ મોટાં બંધન છે – એક સ્વચ્છંદ અને ખીન્નું પ્રતિબંધ. સ્વચ્છંદ ટાળવાની જેની ઇચ્છા છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈ એ; અને પ્રતિબંધ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે સ સંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તે બંધનને નાશ થતા નથી. સ્વચ્છ દ જેને છેદાયા છે, તેને જે પ્રતિબંધ છે તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે. છે. આટલી શિક્ષા સ્મરણ કરવારૂપ છે. ''
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org