________________
૧૮૮
જ્ઞાની ભક્તની પ્રતિભા
પદથી આ ભાવને સમન્વિત કરીને, તેથી જ કરીને, રજૂ કર્યો છે. અને તેવા ભક્ત પુરુષની પ્રતિભા શ્રીમદ્ ધરાવે છે. અને હવે પછીના તેમના એક દસકાના શેષ જીવનમાં, આ રીતે, મુખ્યત્વે ત્રણ અંશમાં, સાધના પ્રવર્તતે છે: ૧. તીવ્ર મુમુક્ષુતાની પરમ કક્ષા; ૨. પરા ભક્તિની ઝંખના, ૩. પરમ જ્ઞાન-પદાર્થ-રૂપ આત્મ-તત્ત્વની સિદ્ધિ. અને એ ત્રણની ‘સિદ્ધિના પરિપાક રૂપે ૪. તીર્થંકર-કે-અવતાર-પદ-સિદ્ધિની રટનાઆરાધના કરતાં કરતાં શેષજીવન પૂરું કરે છે. શ્રીમદ્દ્ની જીવનયાત્રાના ચરમ-પરમ દસકાની સાધનાના આ નકશા કે રૂપરેખા આમ કહી શકાય.
'
એમાં ચોથું પદ પૂર્વનાં ત્રણથી વિશેષ અને વિલક્ષણ વિરલ પ્રકારનું છે. ભગવાન બુદ્ધને નિર્વાણ-અનુભૂતિ થતાં, જગત પર કરુણા રૂપે બ્રહ્મદેવે અંતરમાં સાક્ષાત્ થઈને કહ્યું કે, ‘આ તારી બોધિજ્ઞાનાનુભૂતિને જગતના જીવાના કલ્યાણને માટે પ્રબોધ' એ આ ચેાથી પદ-આરાધનાનું રહસ્ય દાખવતી કથા છે. શ્રીમદ્ના જીવનમાં આ પણ એમના પ્રતિભા-અંશ છે, તે અહીં ટૂંકમાં ઉલ્લેખીને,“તેને સ્થાને તે આવતાં, – આગળ જોઈશું. અહીંયાં મુમુક્ષુતાનું પ્રથમ પદ ટૂંકમાં જોઈએ :–
તેમણે વ્યક્ત કરેલા અહ્સાસમાં મુમુક્ષુતા બે પ્રકારે કહી છે – તીવ્ર અને અતિતીવ્ર. સાધકની ષટ્યુંપત્તિમાં કે યોગશાસ્ત્રના વૈરાગ્યઅભ્યાસમાં હાર્દ રૂપે રહેલું આ મુમુક્ષુતા-તત્ત્વ છે. મેાક્ષ નામે ચરમ પુરુષાર્થના પાયામાં રહેલું ભાવ-દર્શન આ મુમુક્ષાનેા ઉદય છે, જેની ઉત્પત્તિ જગતના કાલદર્શનમાંથી થઈને, કામ-જયને માટેના સતત અભ્યાસ અને ધ્યાનાદિ માર્ગે આગળ વિકસીને (ગાંધીજીએ વ્યવહાર ક્ષેત્રે બતાવેલા સાધ્ય-સાધનની એકરૂપતાના ન્યાયે) મોક્ષપદ ભણી પ્રગતિ કરે છે.
Jain Education International
ખંભાતના પોતાના ગુણાનુરાગી મુમુક્ષુ ભકતાને સંબાધીને (મુંબઈથી અષાડ સુદ ૮, ભામ, ૧૯૪૭ના રોજના,) મુમુક્ષુતા નિરૂપતા
생
For Personal & Private Use Only
www.jainelibrary.org