________________
કાલદર્શન અને મુમુક્ષુતા પણ તે વેળા કાળ તેને ખાઈ જતો નથી, બીજે સમયે બદલાવે છે; માટે જૂનાપણાને તે ખાય છે, તેમ કહ્યું છે. '
“નિશ્ચય-નયથી પદાર્થમાત્ર રૂપાંતર જ પામે છે; કોઈ પણ ‘પદાર્થ' કોઈ પણ કાળમાં કેવળ નાશ પામે જ નહીં, એવો સિદ્ધાન્ત છે; અને જો પદાર્થ કેવળ નાશ પામતે હોત, તો આજ કંઈ પણ હોત નહીં. માટે કાળ ખાતો નથી, પણ રૂપાંતર કરે છે, એમ કહ્યું છે.”
આમ ત્રણ પ્રકારે જવાબ આપીને છેવટે સામાન્ય ઈહલોકને ધ્યાનમાં લઈને આગળ તે કહે છે:– “ત્રણ પ્રકારના ઉત્તરમાં પહેલો ઉત્તર “સર્વને’ સમજવો સુલભ છે.” અને એ જ કારણે બધા જ ધર્મોમાં મરણની ભીતિ અને તેનું દુ:ખ તથા વિહવળતા વગેરે લૌકિક ભાવો સામાન્યત: જોવા મળે છે. ધર્મ-અર્થ-કામના ત્રિાવર્ગ પછીનો ચોથો ચરમ પુરુષાર્થ મોક્ષ આ મરણાર જોઈને ત્યાંથી શરૂ થાય છે, એમ નચિકેતા, અર્જુન, સિદ્ધાર્થ, વર્ધમાન વગેરે મહાસાધકોની કથાઓ બતાવે છે. . .
અને એમ, જગતનું પૂર્ણ સ્વરૂપ પામતાં બે ભાવોનો ઉદય થાય છે – એક બાજુ સંસાર-જગતને વિષે, – એટલે કે, તેનાં ઇન્દ્રિયાર્થી સુખદુઃખ અને રાગદ્વેષને વિષે વિષાદમય અસંગભાવ અને મુમતા; અને બીજી તરફ તે જ વિષાદી અંધકારમાંથી દિવ્ય પ્રકાશ રૂપે ગતના અમર અચલ અધિષ્ઠાન તરીકે “સ’નું દર્શન થાય છે, કે જે સંચ્ચિદાનંદ રૂપ પરમેશ્વરના જ મૂર્તિ કે વ્યક્તિ પર્યાય-દર્શન રૂપે પ્રગટીને તેની અનન્ય એકાગ્ર પરા ભક્તિની લગની પેદા કરે છે. આમ ભક્તિને જે ઉદય થાય છે તે તત્ત્વજ્ઞાન-પૂત છે - કેવળ મૂઢ ભાવ નથી. અને ગયા પ્રકરણને અંતે શ્રીમદનો જે અફસ બતાવ્યો છે, તેમાં મુમતા. ઉપરાંત “અનંતગુણ-ગંભીર જ્ઞાનાવતાર પુરુષનો લક્ષ” – એટલે કે, પરમ જ્ઞાનરૂપી ઈશની ભક્તિને જુદો ઉલ્લેખ કર્યો છે. “જ્ઞાની ભક્ત...'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org