________________
66
આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિભ્રંથ મુનિએ પણ, નિષ્કારણ, ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે; કારણ કે, ભગવાનના ગુણા એવા જ છે.”
૨૯
પ્રેમભક્તિની ઝંખના
આત્મારામાશ્ચ મુનયા નિગ્રંથા અપ્પુરુક્રમે | કુર્વાન્તિ અદ્વૈતુર્કી ભક્તિમ્ ઇન્વંભૂત ગુણો હરિ: ।।
(શ્રી.૬ - ૩૩૭ – આંક ૨૭૮ – સં. ૧૯૪૭)
-
શરૂમાં જ આપણે જોયું છે કે, કવિશ્રીના ધર્મ-સંસ્કાર જૈન તેમ જ વૈષ્ણવ બંનેં ધર્મપરંપરાના હતા – પિતૃપક્ષે વૈષ્ણવ અને માતૃપક્ષે જૈન. તેમાં જૈન પરંપરાનું અનુશીલન, – કદાચ તેમના ત્યારના પ્રવર્તમાન સંજોગોને લઈને, – વધુ થયું હશે, એમ લાગે છે. તેમ છતાં, એ બંને પરંપરાઓ તે કાળના સમાજમાં જીવંત હતી; અને ગળથૂથી રૂપે કવિને બંને જન્મત: જ મળી હતી. આથી કરીને, બંનેનું સંમિશ્રણ, – એમની આંતર અનુભૂતિની — ‘પ્રત્યક્ષ વગમ્ય ’ ધર્માદય-દશાના આ જીવન-સમયે, પ્રગટ થતું જોવા મળે છે. જેમ કે:
શા૦-૧૩
(ભાગવત – ૧ - ૭ - ૧૦)
Jain Education International
-
ગુરુશરણ ઉપરાંત આ કાળે કવિની સહજ ઊર્મિ (‘ગુરુ: સાક્ષાત્ પરબ્રહ્મ'ના ન્યાયે) ઈશ્વર-પ્રણિધાન કે પ્રપત્તિની વૈષ્ણવી પ્રેમભક્તિ
૧૯૩.
For Personal & Private Use Only
www.jainelibrary.org