________________
રાણા અને જ્ઞાહિત્ય
૧૧ “આ દેહમાં મુખ્યત્વે બે ભવ કર્યા છે. . . . નાનપણની નાની સમજણમાં, કોણ જાણે કયાંથી મોટી કલ્પનાએ આવતી. સુખની જિજ્ઞાસા પણ ઓછી નહોતી; અને સુખમાં પણ મહાલય, બાગ, બગીચા, વાડીવાડીનાં કાંઈક માન્યાં હતાં. મોટી કલ્પના તે, આ બધું શું છે, તેની હતી. તે કલ્પનાનું એક વાર એવું રૂપ દીઠું , પુનર્જન્મ નથી, પાપે નથી, પુણે નથી; સુખે રહેવું ને સંસાર ભોગવવો એ જ કૃતકૃત્યતા છે. એમાંથી બીજી પંચાતમાં નહિ પડતાં, ધર્મવાસના કાઢી નાંખી, કોઈ ધર્મ માટે જૂનાધિક કે શ્રદ્ધાભાવપણું રહ્યું નહિ. થોડો વખત ગયા પછી એમાંથી એર જ થયું. જે થવાનું મેં કયું નહતું, તેમ તે માટે મારા ખ્યાલમાં હોય એવું કાંઈ મારું પ્રયત્ન પણ નહોતું, છતાં અચાનક ફેરફાર થયો. કોઈ ઓર અનુભવ થયો. અને એ અનુભવ પ્રાયે શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી, તેવો હતો. તે ક્રમે કરીને વધ્યો; વધીને અત્યારે એક “હિ હિ"ને જાપ કરે છે.”
એટલે શ્રીમના જીવનમાં વીસ વર્ષ પછી નવો ભવ ઊઘડ્યો, નવું દર્શન થયું; કહે કે, તે ખરેખર દ્વિજ બન્યા.
એ ઘટના કેવી રીતે બની એનું અવલોકન કે પૃથક્કરણ કરવું મુશ્કેલ છે. આવા પ્રકારના જીવનપલટા જેને થાય છે, એને એ
અચાનક ફેરફાર’ જ લાગે, નવો ભવ જ લાગે. અને એમાં બીજાએ કાર્યકારણભાવ સાંધવો એ મુશ્કેલ છે. એ જ સૂક્ષ્મ આંતર અનુભવને ભક્તા “ઈશકૃપા “ગુરુકૃપા' જેવા વાચકોથી વર્ણવે છે. એને જ ઉપનિષદોમાં આવા ગૂઢાર્થક વિધાનથી બોલાય છે –
ચમ્ gષ વૃyતે તેના સ્ટમ્સ: |
तस्यैष आत्मा विवृणुते तनुं स्वाम् ।। (એ આત્માં જેને વરે છે કે જેના પર અનુગ્રહ કરે છે, તેને જ તે પોતાનું સ્વરૂપ બતાવે છે.).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org