________________
મુમુક્ષા અને જ્ઞાનદય અપૂર્વ અવસર એ કયારે આવશે,
ક્યારે થઈ બાહ્યાંતર નિર્ગથ છે? સર્વ સંબંધનું બંધને તીક્ષ્ણ છેદીને,
વિચરશું કવ મહપુરુષને પંથ જો? આ કડીથી શરૂ થતું કાવ્ય કવિએ તેમની ૧૮ વર્ષની ઉંમરે* લખેલું. તે એમના જીવનના ઉત્તરાર્ધ આદરાયેલા પુરુષાર્થને મુદ્રારૂપ મંત્ર ગણાય. શાલીન વિદ્યાભ્યાસ તે કયારને બંધ થયો હતે. સ્વાધ્યાય અને લેખન રૂપે ચિંતન-મનન ચાલતાં હતાં. મહત્ત્વાકાંક્ષાના મને રથો પણ હવે નરમ પડતા હતા : તેમાં રહેલી વ્યર્થતા તે જોવા લાગ્યા હતા. ૧૩ વર્ષની ઉંમર બાદ, પિતાની દુકાને બેસવાનું ચાલુ ક્યું હતું. ત્યાં બેઠા પણ તે વાચન લેખન દ્વારા પોતાનો સ્વાધ્યાય કરતા.
આ બધા વ્યવહારકમમાં વૈરાગ્યનો ઉદય થઈને ધરમૂળથી પલટો આવ્યો, તેનું નિવેદન તેમણે કરેલું જોવા મળે છે. ૨૨ વર્ષના એક લેખમાં આ દિશાપલટા વિષે તે લખે છે:-
. આ કાવ્યનો લેખન-સમય આમ ગાંધીજીએ તેમનાં રાયચંદભાઈનાં સંસ્મરણોમાં કહ્યો છે, તે પરથી છે. પરંતુ શ્રી. ૨- પ્રા. ૬૪૩ જણાવે છે કે, તે કવિશ્રીના ૩૦ મા વર્ષનું હશે; જે કે તે નીચે ટીપમાં કહે છે કે, “આ કાવ્યને નિણત સમય મળતો નથી.” છતાં, ત્યાં “વવાણિયા, સં. ૧૯૫૩” તે બતાવ્યું છે. તે શા પરથી હશે, તે જણાવ્યું નથી. કાવ્યને ભાવ તથા તેની ઊર્મિ પરથી તે ૧૮મા વર્ષને ભાવક હોય એમ માનીએ, તો તે ગાંધીજીની સ્મૃતિને આધારે બંધ બેસી શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org