________________
વિદ્યાભ્યાસ તેમણે કહ્યું છે કે, “એ વાક્ય પૂર્વ ભવના કોઈ જોગનું સ્મરણ થતી. વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેણે પુનર્જન્માદિ ભાન કર્યા છે, તે પદાર્થને કોઈ પ્રકારે જાણીને એ વાકય લખ્યું છે.”
જ્ઞાનની આવી જ બીજી ગૂઢ ચમત્કારી શક્તિ પણ વર્ણવવામાં આવે છે –
કચ્છથી બે ભાઈએ તેમની શક્તિની તારીફ સાંભળી તેમને મળવા આવ્યા. ત્યારે રાયચંદભાઈ રાજકોટ તેમને મોસાળ હતા; ત્યાં તેઓ ગયા. તેઓ અજાણ્યા હતા; છતાં રાયચંદે તેમને મળતાં તેમનાં નામ દઈને આવકાર આપ્યો. આથી તેઓને નવાઈ લાગી. “તમે કેમ જાયું કે અમે આવીએ છીએ?” શ્રીમદે કહ્યું, “આત્માની અનંત શક્તિ છે, તે વડે અમે જાણીએ છીએ.”
લોકમાનસ ઉપર આવા ગૂઢજ્ઞાનની શક્તિ ભારે અસર કરે છે : તેનાથી પ્રેરાઈ લોકોમાં અમુક શ્રદ્ધાભાવ પણ પ્રગટે છે, અને તેને આધારે કેટલાક સાધનામાંથી ચળીને આવી સિદ્ધિમાં રાચે છે. રાયચંદભાઈના કેસમાં આમ ન બન્યું : તે અંતરમાં જાગ્રત મુમુક્ષુ હતા.
એમની આ બધી શક્તિઓ જોઈને “મુંબઈની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સર ચાર્લ્સ સારજંટે શ્રીમદ્ યુરોપમાં જઈને અ, અજાયબીભરી શક્તિના પ્રયોગે બતાવવાનું આગ્રહભર્યું સૂચન કર્યું.” તથા કાશી જઈ વધુ વિદ્યા પ્રાપ્ત કરવાની વાત પણ કેટલાકે કરી. . પરંતુ શ્રીમદે તે કશાને સ્વીકાર્યું નહિ. અને પછી તેમણે આવી શક્તિઓ બતાવવાનું બંધ જ કર્યું હતું. પ્રશંસા અને અવધાનશક્તિને આવો ઉપયોગ લોકેષણાને ઉત્તેજિત કરી સાધકને આડરૂપ બને, એ રાયચંદભાઈ સહજ રીતે પામી ગયા, અને તેમાં પછી તેમણે અરુચિ જ બતાવી હતી. તે જે ધારત તો આ શક્તિઓને જોરે પોતાની નાનપણની ભાર્ગવર્યાદિની મહત્ત્વાકાંક્ષા સેવી શકત. પરંતુ તેમાં પણ પછીના કાળમાં પલટો થઈ ગયો. અને તેની સાથે એમના શાનદયી કે આત્માર્થી જીવનનો પ્રારંભ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org